SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન ધર્મ-દર્શન મહાવીરની દૃષ્ટિને સમજવા માટે આ સંવાદો પૂરતા છે. બુદ્ધ આરાધનાને લઈને જે રીતે વિભાજનપૂર્વક ઉત્તર આપ્યો, મહાવીરે પણ બરાબર એ જ શૈલીમાં પોતાના શિષ્યોની શંકાઓનું સમાધાન કર્યું. જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેમનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે તે પ્રશ્નોનો અર્થ શો છે. કઈ દૃષ્ટિએ તેમના કયા ઉત્તરો આપી શકાય. જેટલી દૃષ્ટિઓ નજરમાં આવી તેટલી દષ્ટિઓથી પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું. એક દૃષ્ટિએ આવું પણ હોઈ શકે છે, બીજી દૃષ્ટિએ વિચારતાં એવું ન પણ હોઈ શકે. હોઈ શકે છે તો તે કેવી રીતે? અને નથી હોઈ શકતું તો તે કેવી રીતે ? પ્રશ્નોત્તરની આ શૈલી વિચારોને સ્પષ્ટ કરવાની અને ઉકેલવાની શૈલી છે. આ શૈલીથી કોઈ પણ વસ્તુનાં અનેક પાસાંનું બરાબર જ્ઞાન થઈ જાય છે. તેનું વિશ્લેષણ એકાંગી, એકાંશી યા એકાન્ત હોતું નથી. બુદ્ધે આ દૃષ્ટિને વિભજ્યવાદનું નામ આપ્યું. તેનાથી વિપરીત દૃષ્ટિને એકાંશવાદ કહ્યો. મહાવીરે આ જ દૃષ્ટિને અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ કહી. તેનાથી વિપરીત દૃષ્ટિને એકાન્તવાદ નામ આપ્યું. બુદ્ધ અને બુદ્ધના અનુયાયીઓએ આ દષ્ટિનું પૂરેપૂરું અનુસરણ કર્યું અને તેનો વિકાસ ન કર્યો. મહાવીર અને તેમના અનુયાયીઓએ આ દૃષ્ટિને પોતાની વિચારસંપત્તિ સમજીને તેની પૂરી રક્ષા કરી અને તેનો દિન-પ્રતિદિન ખૂબ જ વિકાસ કર્યો. એકાન્તવાદ અને અનેકાન્તવાદ એકાન્તવાદ કોઈ એક જ દષ્ટિનું સમર્થન કરે છે. તે ક્યારેક સામાન્ય યા વિશેષના રૂપમાં મળે છે તો ક્યારેક સત્ યા અસના રૂપમાં મળે છે, ક્યારેક નિર્વચનીય કે અનિર્વચનીયના રૂપમાં દેખાય છે તો ક્યારેક હેતુ કે અહેતુના રૂપમાં દેખાય છે. જે લોકો સામાન્યનું જ સમર્થન કરે છે તેઓ અભેદને જ જગતનું મૌલિક તત્ત્વ માને છે અને ભેદને મિથ્યા કહે છે. તેનાથી ઊલટું ભેદવાદનું સમર્થન કરનારા તેનાથી વિપરીત સત્યનું પ્રતિપાદન કરે છે. તેઓ અભેદને સર્વથા મિથ્યા સમજે છે અને ભેદને જ સત્ય માને છે. સવાદનું એકાન્તપણે સમર્થન કરનારા કોઈ પણ કાર્યની ઉત્પત્તિ યા વિનાશને વાસ્તવિક નથી માનતા. તેઓ કારણ અને કાર્યમાં ભેદને દેખતા જ નથી. બીજી બાજુ અસદ્વાદના સમર્થકો છે. તેઓ પ્રત્યેક કાર્યને તદ્દન નવું જ માને છે. તેમના મતે કારણમાં કાર્યનું ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ હોતું જ નથી પરંતુ કારણથી સર્વથા ભિન્ન એક નવું જ તત્ત્વ ઉત્પન્ન થાય છે. કેટલાક એકાન્તવાદીઓ જગતને અનિર્વચનીય સમજે છે. તેમના મતે જગત ન તો સત્ છે કે ન તો અગ્ન છે અને તેથી અનિર્વચનીય છે. બીજા લોકો જગતનું નિર્વચન કરે છે. તેમની દષ્ટિએ વસ્તુનું નિર્વચન કરવું, લક્ષણ વગેરે દર્શાવવું અશક્ય નથી. તેવી જ રીતે હેતુવાદ અને અહેતુવાદ પણ પરસ્પર ટકરાય છે. હેતુવાદનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy