SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ જૈન ધર્મ-દર્શન પૂરો અવકાશ છે પરંતુ જે વાતો સુસ્પષ્ટ છે, સુસિદ્ધ છે, સુપ્રત્યક્ષ છે, સુવિદિત છે, સુમાન્ય છે તેમના અંગે કેવળ કલ્પનાજન્ય તર્કો કરવા અથવા શાસ્ત્રો અને ગ્રન્થોની સહાયતાથી વિરોધી મત નિર્ધારણ કરવો નિરર્થક છે. અધિકાંશ પ્રાચીન શાસ્ત્રો અથવા ગ્રન્થોમાં જે સામગ્રી હોય છે તે પ્રાયઃ ત્રણ આધારો ઉપર આધારિત હોય છે – (૧) પરંપરા, (૨) સ્વાનુભવ, (૩)વિચાર અથવા કલ્પના. આધુનિક ગ્રન્થોમાં પણ આ જાતની સામગ્રી હોય છે. જે સામગ્રી પરંપરાપ્રાપ્ત હોય છે તે તે સમય સુધી ચાલી આવનારી માન્યતાઓ અને સિદ્ધાન્તોને રજૂ કરે છે. સંભવ છે કે તે બધી કે તેમાંની કેટલીક માન્યતાઓ અથવા સિદ્ધાન્તો પૂર્ણતઃ યા અંશતઃ મિથ્યા સિદ્ધ થઈ જાય કેમ કે તેમનું નિર્માણ નિર્દોષ અનુભવ, પ્રયોગ અથવા વિચાર ઉપર થયું નથી. એવી સ્થિતિમાં નવી શોધો અથવા નવા અનુભવોના કારણે કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિકતા અંશતઃ કે પૂર્ણતઃ ખંડિત યા દૂષિત થઈ જાય તો એને અસ્વાભાવિક બાબત ન સમજવી જોઈએ. હા, નવા અનુભવો અને નવી શોધોનું સાધાર અને સુનિશ્ચિત હોવું આવશ્યક છે. સ્વાનુભવના આધારે શાસ્ત્ર યા ગ્રન્થમાં મૂકાયેલી સામગ્રીનું વિશેષ મહત્ત્વ છે. જ શાસ્ત્રકાર અથવા ગ્રન્થકારનો અનુભવ નિર્દોષ અને નિર્વિકાર હોય તો તે અનુભવ, જ્ઞાન અથવા પ્રતીતિનું પ્રત્યક્ષ આદિ કોઈ પણ પ્રમાણથી ખંડન થઈ શકતું નથી. તે જ્ઞાનના આધાર ઉપર નિર્મિત ગ્રન્થ કે ગ્રન્થાંશને કોઈ પણ પડકારનો સામનો કરવામાં જરા પણ ખમચાટ થતો નથી. અધિકતર તો એવું જ બને છે કે આ જાતના જ્ઞાનને બધા તટસ્થ વિચારકો નિર્વિવાદ સ્વીકારી લે છે. જો કોઈ વસ્તુતઃ નિર્દોષ છે અર્થાતુ તેનામાં કોઈ જાતના રાગ-દ્વેષ-અજ્ઞાન-પ્રમાદ-અહંકાર-ભય ન હોય તો તેનું કથન મિથ્યા હોઈ શકતું નથી જ. તે જે કંઈ કહેશે તે યથાર્થ જ કહેશે કેમ કે અયથાર્થ વચન અથવા અયથાર્થ જ્ઞાનનાં કારણોનો તેનામાં સર્વથા અભાવ છે. આવી પરિસ્થિતિમાં તેનાં વચનો જેમાં સંગૃહીત છે તે ગ્રન્થ મિથ્યા હોઈ શકે જ કેવી રીતે ? તે ગ્રન્થનું પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી ખંડન કેવી રીતે થઈ શકે? જો કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થમાં વર્ણવાયેલ અને પ્રતિપાદિત વાતોનું પ્રત્યક્ષ આદિ જ્ઞાનસાધનો (પ્રમાણો) દ્વારા નિરસન થતું હોય તો સમજી લેવું જોઈએ કે તે કથન કોઈ સદોષ વ્યક્તિનું છે, નિર્દોષ વ્યક્તિનું નથી. નિર્દોષ વ્યક્તિનું કથન કોઈ પણ પ્રમાણથી ખંડન થઈ શકતું નથી. . વિચાર અથવા કલ્પનાના આધાર પર પણ ગ્રન્થ કે ગ્રન્થાંશનું નિર્માણ થાય છે. જો આ જાતનું કથન પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી અવિરુદ્ધ હોય તો તેને સહજપણે જ સ્વીકારવામાં આવે છે. વિચારોની ગતિ નિર્દોષ હોય તો તેમના આધારે કાઢવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy