SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ જૈન ધર્મ-દર્શન અગ્નિ સળગે છે “અહીં અગ્નિ નથી કારણ કે અહીં ઠંડી અનુભવાય છે' આદિ વિરોધી સાધન દ્વારા કરાતાં અનુમાનોનાં ઉદાહરણો છે. અગ્નિ અને ઠંડક પરસ્પર વિરોધી છે, તેથી એક હોય તો બીજું હોઈ શકે જ નહિ. વિરોધીની માત્રા બરાબર હોય તો જ વિરોધી સાધનનો પ્રયોગ થઈ શકે છે. અગ્નિનો નાનો તણખો ઠંડકના અભાવનું અનુમાન ન કરાવી શકે. ખૂબ અગ્નિ હોય તો જ ઠંડકના અભાવનું સમ્યફ અનુમાન થઈ શકે. પરાર્થાનુમાન – સાધન અને સાધ્યના અવિનાભાવના કથનથી ઉત્પન્ન થનારું જ્ઞાન પરાર્થાનુમાન છે. સ્વાર્થાનુમાનનું વિવેચન કરતી વખતે આપણે જોઈ ગયા કે સ્વાર્થનુમાન બીજી વ્યક્તિની સહાયતા વિના જ ઉત્પન્ન થાય છે. પરાર્થાનુમાન તેનાથી વિપરીત છે. એક વ્યક્તિએ જાતે જ સાધન અને સાધ્યના અવિનાભાવનું ગ્રહણ કર્યું છે અને બીજી વ્યક્તિ એવી છે જેને આ અવિનાભાવનું જ્ઞાન નથી. પહેલી વ્યક્તિ પોતાના જ્ઞાનનો પ્રયોગ બીજી વ્યક્તિને સમજાવવા કરે છે. તે પહેલી વ્યક્તિએ કરેલા અવિનાભાવના કથનથી બીજી વ્યક્તિમાં ઉત્પન્ન થનારું જ્ઞાન પરાર્થાનુમાન છે. આ અનુમાન તેવી વ્યક્તિ માટે નથી કે જે સાધન અને સાધ્યના અવિનાભાવસંબંધથી પરિચિત હોય પરંતુ તેવી વ્યક્તિ માટે છે જેને આ સંબંધનું જ્ઞાન ન હોય, એટલે જ તેનું નામ પરાથનુમાન છે. પરાથનુમાન જ્ઞાનાત્મક છે પરંતુ તેને દર્શાવનાર વચનને પણ ઉપચારથી પરાર્થાનુમાન કહેવામાં આવે છે. જ્ઞાનાત્મક પરાર્થાનુમાનની ઉત્પત્તિ વચનાત્મક પરાર્થાનુમાન ઉપર આધાર રાખે છે, તેથી વચનને પણ ઉપચારથી પરાર્થનુમાન કહેવામાં આવે છે. પરાથનુમાન માટે હેતુનો વચનાત્મક પ્રયોગ બે રીતે થઈ શકે છે. સાધ્ય હોય તો જ સાધનનું હોવું દર્શાવનારી એક રીત છે. સાધ્યના અભાવમાં હેતુનું ન જ હોવું દર્શાવનારી બીજી રીત છે. આ બન્ને રીતો એક જ ભાવને દર્શાવવાના બે ભિન્ન માર્ગો છે. જે અર્થનું પ્રતિપાદન પહેલી રીત કરે છે તે જ અર્થનું પ્રતિપાદન બીજી રીત પણ કરે છે. ફરક માત્ર વાક્યરચનાનો છે. બન્ને રીતોમાં વચનપ્રયોગો કેવી રીતે થાય છે એને ઉદાહરણો દ્વારા જોઈએ. પર્વત ઉપર અગ્નિ છે કેમ કે અગ્નિ હોય તો જ ધૂમ હોઈ શકે છે. અગ્નિરૂપ સાધ્યની સત્તા હોય તો જ ધૂમરૂપ સાધનની ઉત્પત્તિ હોઈ શકે છે. આ પહેલી રીત છે. આ જ અર્થનું પ્રતિપાદન બીજી રીતે થઈ શકે છે. પર્વત ઉપર અગ્નિ છે, કેમ કે અગ્નિના અભાવમાં ધૂમ હોઈ શકે જ નહિ. ૧. યથોસાધનાપધાન: પાર્થમ્ એજન, ૨.૧.૧. ૨. પક્ષહેતુવવનાત્મવં પાર્થનુમાનમુરિત્ ા પ્રમાણનયતત્તાલોક, ૩.૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy