________________
જ્ઞાનમીમાંસા
૨ ૧૩
ભેદ છે. આગમ પણ પરોક્ષપ્રમાણનો જ એક પ્રકાર છે. ઉપમાન પણ પરોક્ષપ્રમાણ અન્તર્ગત છે. અર્થાપત્તિ અનુમાનથી ભિન્ન નથી. અભાવ પ્રત્યક્ષનો જ એક અંશ છે. વસ્તુ ભાવ અને અભાવ ઉભયાત્મક છે. બન્નેનું ગ્રહણ પ્રત્યક્ષથી થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુના ભાવાંશનું ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના અભાવાંશનું પણ અભાવરૂપે ગ્રહણ થઈ જ જાય છે, અન્યથા અભાવાંશનું પણ ભાવરૂપે ગ્રહણ થાત. વસ્તુ ભાવ અને અભાવ આ બે રૂપો સિવાય કોઈ ત્રીજા રૂપમાં મળતી નથી. એક વસ્તુ જે દૃષ્ટિએ ભાવરૂપ છે તે જ વસ્તુ તદિતર દૃષ્ટિએ અભાવરૂપ છે. જ્યારે ભાવરૂપનું ગ્રહણ થાય છે ત્યારે અભાવરૂપનું પણ ગ્રહણ થાય છે. બન્ને પ્રત્યક્ષગ્રાહ્ય છે. આવી સ્થિતિમાં અભાવગ્રાહક ભિન્ન પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. અભાવની પરીક્ષા બીજી રીતે કરીએ. “આ ભૂમિ ઉપર ઘટ નથી” આ અભાવનું ઉદાહરણ છે. અહીં અભાવપ્રમાણ ઘટાભાવનું ગ્રહણ કરે છે. આ ઘટાભાવ શું છે? જો આપણે આનો વિચાર કરીશું તો જણાશે કે આ ઘટાભાવ શુદ્ધ (કવળ) ભૂમિ સિવાય બીજું કંઈ જ નથી. જે ભૂતલ પર પહેલાં આપણે ઘટ દેખ્યો હતો તે જ ભૂતલને હવે આપણે શુદ્ધ ભૂતલના રૂપમાં દેખીએ છીએ. આ શુદ્ધ ભૂતલ જ ઘટાભાવ છે અને તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. આ વિશ્લેષણમાંથી એ જ ફલિત થાય છે કે અભાવપ્રમાણ પ્રત્યક્ષથી ભિન્ન નથી. એકનો અભાવ બીજાનો ભાવ છે. પ્રત્યક્ષ
પ્રત્યક્ષનું લક્ષણ વૈશદ્ય કે સ્પષ્ટતા છે. સકિર્ષ યા કલ્પનાપોઢત્વને પ્રત્યક્ષનું લક્ષણ માની શકાય નહિ. વૈશદ્ય કોને કહે છે? જે પ્રતિભાસ માટે કોઈ પ્રમાણાન્તરની આવશ્યકતા ન હોય અથવા જે પ્રતિભાસ ‘આ’ આકારથી (તયા) યુક્ત હોય તે વૈશદ્ય છે. જે પ્રમાણાન્તરનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે પ્રત્યક્ષ પોતાના વિષયના પ્રતિભાસ માટે સ્વયં સમર્થ છે. તેને બીજા કોઈ પ્રમાણની સહાયતાની અપેક્ષા નથી. અનુમાન, આગમ આદિ પ્રમાણ પોતે પોતામાં પૂર્ણ નથી.
૧. વિશઃ પ્રત્યક્ષમ્ | પ્રમાણમીમાંસા, ૧.૧.૧૩.
પણું પ્રત્યક્ષમ્ પ્રમાણનયતત્તાલોક, ૨.૨. વિશવં પ્રત્યક્ષમ્ | પરીક્ષામુખ, ૨.૩. ૨. પ્રમાન્તિનક્ષેત્તથી પ્રતિમાસો વા વૈશમ્ પ્રમાણમીમાંસા, ૧.૧.૧૪.
પ્રતીત્યન્તારવ્યવધાન વિશેષવત્તા વા પ્રતિમાસ વૈશમ્ | પરીક્ષામુખ, ૨.૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org