SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જૈન ધર્મ-દર્શન આવશ્યકનિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે કેવલીના બે ઉપયોગો એક સાથે થઈ શકતા નથી.' આગમ આ બાબતમાં એકમત છે. આગમો દર્શન અને જ્ઞાનની યુગપત્ ઉત્પત્તિને સ્વીકારતાં નથી. દિગમ્બર આચાર્યો બીજી માન્યતાનું સમર્થન કરે છે. આ અંગે તેઓ એકમત છે. કે કેવલદર્શન અને કેવલજ્ઞાન બન્ને યુગપતુ ઉત્પન્ન થાય છે.ઉમાસ્વાતિનું કથન છે કે મતિ, શ્રત, આદિમાં ઉપયોગ ક્રમથી થાય છે, યુગપતું નહિ. પરંતુ કેવલીમાં દર્શનાત્મક અને જ્ઞાનાત્મક ઉપયોગો પ્રત્યેક ક્ષણમાં યુગપત થાય છે. આચાર્ય કુન્દકુન્દ સ્પષ્ટપણે આનું સમર્થન કર્યું છે. તે કહે છે, “જેમ સૂર્યમાં પ્રકાશ અને તાપ યુગપત હોય છે તેમ કેવલીમાં દર્શન અને જ્ઞાન યુગપત્ હોય છે. સર્વાર્થસિદ્ધિકાર પણ આ સિદ્ધાન્તનું સમર્થન કરે છે. તે કહે છે, “જ્ઞાન સાકાર છે, દર્શન અનાકાર છે. છદ્મસ્થમાં તે ક્રમશઃ થાય છે, કેવલીમાં યુગપત થાય છે." આમ દિગમ્બર પરંપરાના બધા આચાર્યોએ કેવલદર્શન અને કેવલજ્ઞાનની યુગપતુ ઉત્પત્તિ માની છે. જ્યાં સુધી છબસ્થનાં દર્શન અને જ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો શ્વેતામ્બર પરંપરા અને દિગમ્બર પરંપરા બન્ને એકમત છે. ત્રીજી પરંપરા સિદ્ધસેન દિવાકરની છે. તે કહે છે કે મન:પર્યાય સુધી તો જ્ઞાન અને દર્શનનો ભેદ સિદ્ધ કરી શકાય છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ભેદ સિદ્ધ કરવો શક્ય નથી. દર્શનાવરણ અને જ્ઞાનાવરણનો યુગપતુ ક્ષય થાય છે. તે ક્ષયથી થનારા ઉપયોગમાં “આ પહેલાં થાય છે અને આ પછી થાય છે એ જાતનો ભેદ કેવી રીતે १. सव्वस्स केवलिस्स वि जुगवं दो नत्थि उवओगा। ६७3 ૨. ભગવતીસૂત્ર, ૧૮.૮. 3. मतिज्ञानादिषु चतुर्पु पर्यायेणोपयोगो भवति न युगपत् । મિત્રજ્ઞાનર્સની તુ માવતઃ વતિનો યુપત્ ... મવતિા તત્વાર્થભાષ્ય, ૧.૩૧. ४. जुगवं वइ नाणं केवलणाणिस्स दंसणं च तहा। ક્લિયર થાતાપ ના વડુ તદ મુળયä II નિયમસાર, ૧૫૯ પ. સર્વાર્થસિદ્ધિ, ૨.૯. ६. मणपज्जवणाणंतो णाणस्स य दारसणस्स य विसेसो। છેવત્તUTI TV ઢંસiતિ || ત સમા || સન્મતિતર્કપ્રકરણ, ૨.૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy