SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન અવધિજ્ઞાનનું લાંબુ વર્ણન છે. વિશેષાવશ્યકભાષ્યમાં સાત પ્રકારના નિક્ષેપો દ્વારા અવધિજ્ઞાનને સમજવાનું કહ્યું છે. આ સાત નિક્ષેપો છે ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ. નામ, સ્થાપના, દ્રવ્ય, મન:પર્યાયજ્ઞાન ૧૮૮ ૨. મનુષ્યોનાં મનના ચિન્તિત અર્થને પ્રકટ કરનારું જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે. તે મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે, ગુણના કારણે ઉત્પન્ન થાય છે અને ચારિત્રસંપન્ન વ્યક્તિ જ તેના અધિકારી છે. મનઃપર્યાયજ્ઞાનની આ વ્યાખ્યા આવશ્યકનિર્યુક્તિકારે કરી છે. મન એક જાતનું પૌદ્ગલિક દ્રવ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષયનો વિચાર કરે છે ત્યારે તેનું મન વિવિધ પર્યાયોમાં પરિવર્તન પામે છે. તેનું મન તે તે પર્યાયમાં પરિણત થાય છે. મનઃપર્યાયજ્ઞાની તે પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. આ સાક્ષાત્કારના આધારે તે જાણી શકે છે કે તે વ્યક્તિ તે સમયે અમુક વાત વિચારી રહી છે. અનુમાનથી કલ્પનાથી કોઈના અંગે એ વિચારવું કે ‘અમુક વ્યક્તિ અમુક વિચાર કરી રહી છે’ મન:પર્યાયજ્ઞાન નથી. મનના પરિણમનનું (પર્યાયોનું) આત્મા દ્વારા સાક્ષાત્ પ્રત્યક્ષ કરીને મનુષ્યના ચિન્તિત અર્થને જાણી લેવો એ મનઃપર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન આત્મપૂર્વક થાય છે, મનઃપૂર્વક થતું નથી. મન તો વિષય માત્ર હોય છે. જ્ઞાતા સાક્ષાત્ આત્મા છે. મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ જ્ઞાન વિશુદ્ધતર હોય છે કેમ કે વિપુલમતિ ઋજુમતિની અપેક્ષાએ મનના સૂક્ષ્મતર પરિણામોને પણ જાણી શકે છે. બીજું અંતર એ છે કે ઋજુમતિ પ્રતિપાતી છે અર્થાત્ ઉત્પન્ન થયા પછી ચાલ્યું પણ જાય છે પરંતુ વિપુલમતિ નાશ પામી શકતું નથી. વિપુલમતિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. મન:પર્યાયજ્ઞાન અંગે બે પરંપરાઓ ચાલી મનઃપર્યાયજ્ઞાની ચિન્તિત અર્થનું પ્રત્યક્ષ કરી લે આવે છે. એક પરંપરા માને છે કે છે. બીજી પરંપરા તેનાથી ઊલટું ૫ ૧. આવશ્યકનિર્યુક્તિ, ૨૬-૨૮ २. मणपज्जवणाणं पुण जणमणपरिचितियत्थपागडणं । માનુસàત્તનિવનું મુળપષ્પડ્યું પત્તિવો ॥ આવશ્યકનિર્યુક્તિ, ૭૬ ૩. ૠખુવિપુલમતી મન:પર્યાયઃ । તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૪. ૪. એજન, ૧.૨૫ ૫. સર્વાર્થસિદ્ધિ, ૧.૯ ; તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૨૬. ૬-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy