SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમીમાંસા છે. આ વૃદ્ધિ ક્ષેત્ર, શુદ્ધિ આદિમાંથી કોઈ પણ દૃષ્ટિએ હોઈ શકે છે. જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયથી જ પરિણામોની વિશુદ્ધિ ઓછી થવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે. જે અવધિજ્ઞાન ન તો વધે છે કે ન તો ઘટે છે પરંતુ જેવું ઉત્પન્ન થયું તેવું ને તેવું જ રહે છે અને જન્માન્તરના સમયે અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં નાશ પામે છે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. ૧૮૭ જે અવધિજ્ઞાન ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક પ્રગટ થાય છે અને ક્યારેક તિરોહિત થાય છે તે અનવસ્થિત અવધિજ્ઞાન કહેવાય છે. ▪▪▪▪▪ અવધિજ્ઞાનના ઉપર જણાવેલા છ ભેદો સ્વામીના ગુણની દૃષ્ટિએ છે. તે ઉપરાંત ક્ષેત્ર આદિની દૃષ્ટિએ ત્રણ ભેદો બીજા થાય છે - દેશાવિધ, પરમાધિ અને સર્વાધિ.૧ દેશાવિધ અને પરમાધિના વળી ત્રણ ત્રણ પેટાભેદો થાય છે ઉત્કૃષ્ટ અને અજધન્યોત્કૃષ્ટ. સર્વાધિ એક જ પ્રકારનું હોય છે. જધન્ય, જઘન્ય દેશાવધિનું ક્ષેત્ર ઉત્સેધાંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટ દેશાવિધનું ક્ષેત્ર સંપૂર્ણ લોક છે. અજધન્યોત્કૃષ્ટ દેશાવધિનું ક્ષેત્ર આ બન્નેની વચ્ચેનું છે જે અસંખ્યાત પ્રકારનું છે. જધન્ય પરમાધિનું ક્ષેત્ર એક પ્રદેશાધિક લોક છે. ઉત્કૃષ્ટ પરમાધિનું ક્ષેત્ર અસંખ્યાત લોકપ્રમાણ છે. અજધન્યોત્કૃષ્ટ પ૨માવધિનું ક્ષેત્ર આ બન્નેની વચ્ચેનું છે. સર્વાધિનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરમાવધિના ક્ષેત્રની બહાર અસંખ્યાત ક્ષેત્રપ્રમાણ છે. લોકથી અધિક ક્ષેત્ર હોઈ શકતું નથી કેમ કે લોકની બહાર કોઈ પદાર્થ નથી જેને અવધિજ્ઞાની જાણી શકે. તેથી જ્યાં લોકથી અધિક ક્ષેત્રનો નિર્દેશ છે ત્યાં ઉત્તરોત્તર તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની સૂક્ષ્મતા સમજવી જોઈએ. જેમ ક્ષેત્રની દૃષ્ટિએ વિભિન્ન પ્રકાર છે તેમ કાલની દૃષ્ટિએ પણ અનેક ભેદો થઈ શકે છે. એ બધાનું વર્ણન કરવું અહીં જરૂરી નથી. આવશ્યકનિર્યુક્તિમાં ક્ષેત્ર, સંસ્થાન, અવસ્થિત, તીવ્ર, મન્દ આદિ ચૌદ દષ્ટિએ ૧. પુનરેવધેસ્ત્રયો મેવા: રેશાવધિ: પરમાધિ: સર્વાધિક્રેતિ । એજન, ૧.૨૨.૫. ૨. અંગુલ એક પ્રકારનું ક્ષેત્રનું માપ છે. તેના ત્રણ ભેદો છે — ઉત્સેધાંગુલ,પ્રમાણાંગુલ અને આત્માંગુલ. ભિન્ન ભિન્ન પદાર્થોના માપ માટે ભિન્ન ભિન્ન અંગુલ નિશ્ચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy