SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન પ્રયોગ થયો છે– ધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા, કોઠા.' ઉમાસ્વાતિએ નીચે જણાવેલા પર્યાયો આપ્યા છે –પ્રતિપત્તિ, અવધારણા, અવસ્થાન, નિશ્ચય, અવગમ, અવબોધ. જિનભદ્ર ધારણાની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જ્ઞાનની અવિસ્મૃતિ ધારણા છે. જે જ્ઞાન શીધ્ર જ નષ્ટ ન થઈ જાય પરંતુ સ્મૃતિ માટે હેતુનું કાર્ય કરી શકે તે જ જ્ઞાન ધારણા છે. આ ધારણાના ત્રણ પ્રકાર છે – (૧) અવિસ્મૃતિ અર્થાત્ પદાર્થના જ્ઞાનનો વિનાશ ન હોવો, તેનું ટકી રહેવું. (૨) વાસના – સંસ્કારનું નિર્માણ થવું, અને (૩) અનુસ્મરણ – ભવિષ્યમાં તે સંસ્કારોનું જાગ્રત થવું. આમ અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ ત્રણે ધારણાનાં અંગ છે. વાદિદેવસૂરિ અનુસાર આ મત બરાબર નથી. ધારણા અવાયપ્રદત્ત જ્ઞાનની દઢતમ અવસ્થા છે. કેટલોક કાળ અવાયનું દઢ રહેવું એ જ ધારણા છે. ધારણા સ્મૃતિનું કારણ બની શકતી નથી કેમ કે કોઈ પણ જ્ઞાનનું આટલા લાંબા કાળ સુધી બરાબર ચાલુ રહેવું સંભવે નહિ. જો ધારણા આટલા લાંબા કાળ સુધી ચાલતી રહે તો ધારણા અને સ્મૃતિ વચ્ચેના કાળમાં બીજા જ્ઞાનનું હોવું સર્વથા અસંભવ બની જાય કેમ કે એક સાથે બે ઉપયોગી થઈ શકતા નથી.’ સંસ્કાર એક ભિન્ન ગુણ છે જે આત્માની સાથે રહે છે. ધારણા સ્મૃતિનું વ્યવહિત કારણ હોઈ શકે છે પરંતુ ધારણાને સીધું સ્મૃતિનું કારણ માનવું તર્કસંગત નથી. ધારણા પોતાની અમુક સમયની મર્યાદા પછી સમાપ્ત થઈ જાય છે. તેના પછી નવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ એક જ્ઞાન પછી બીજા જ્ઞાનની પરંપરા ચાલતી રહે છે. વાદિદેવસૂરિનું આ કથન યુક્તિસંગત છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર ભેદ કરવામાં આવ્યા છે. અવગ્રહના વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બે ભેદ છે. તેમનામાંથી અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર પ્રકારનાં જ્ઞાન શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન અને મન એ છ દ્વારા થાય છે. વ્યંજનાવગ્રહ કેવળ શ્રોત્ર, ધ્રાણ, રસન અને સ્પર્શન આ ચાર ઇન્દ્રિયો દ્વારા થાય છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, તેથી તે બે દ્વારા વ્યંજનાવગ્રહ થતો નથી. અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર પાંચ ઇન્દ્રિયો અને મન એ છ દ્વારા થાય છે, તેથી તેમના ૪ * ૬ = ૨૪ ભેદ થયા. ૧. નન્દીસૂત્ર, ૩૩ ૨. વિવુ ધાર તHI વિશેષાવશ્યકભાષ્ય, ૧૮૦ ૩. એજન, ૨૯૧ ૪. સ્યાદ્વાદરનાકર, ૨.૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy