SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ઈહા અવગ્રહ પછી જ્ઞાન ઈહામાં પરિણત થાય છે. અવગૃહીત અર્થને વિશેષ રૂપે જાણવાની ઇચ્છા ઈહા છે.' નન્દીસૂત્રમાં ઈહા માટે નીચે જણાવેલા શબ્દો આવે છે - આયોગણતા, માર્ગણતા, ગવેષણતા, ચિન્તા અને વિમર્ષ. ઉમાસ્વાતિએ ઈહા, ઊહ, તર્ક, પરીક્ષા, વિચારણા અને જિજ્ઞાસા શબ્દોનો પ્રયોગ કર્યો છે. અવગ્રહથી ઈહા સુધી કેવી રીતે આપણે પહોંચીએ છીએ એ સમજવા માટે વળી શબ્દનું ઉદાહરણ લઈએ છીએ. અવગ્રહમાં એટલું જ જ્ઞાન થાય છે કે ક્યાંકથી શબ્દ સંભળાઈ રહ્યો છે. શબ્દ સાંભળતાં જ વ્યક્તિ વિચારે છે કે આ શેનો શબ્દ છે ? કોણ બોલે છે ? સ્ત્રી છે કે પુરુષ ? ત્યાર પછી તે સ્વરની તુલના કરે છે. સ્વર મધુર અને આકર્ષક છે, તેથી તે કોઈ સ્ત્રીનો હોવો જોઈએ. પુરુષનો સ્વર તો રૂક્ષ અને કઠોર હોય છે. તેથી આ સ્વર પુરુષનો ન હોઈ શકે. ઈહામાં જ્ઞાન અહીં સુધી પહોંચે છે. ઈહા સંશય નથી કેમ કે સંશયમાં બે કોટિઓ બરાબર (સમબલ) હોય છે. જ્ઞાનનો કોઈ એક કોટિ તરફ ઝોક નથી હોતો. ‘પુરુષ છે કે સ્ત્રી ?’ એનો જરા પણ નિર્ણય નથી હોતો. ન તો પુરુષની તરફ જ્ઞાન ઝૂકે છે, ન તો સ્ત્રીની તરફ. જ્ઞાનની દશા ત્રિશંકુ જેવી રહે છે. ઈહામાં જ્ઞાન એક કોટિ તરફ ઝૂકી જાય છે. અવાયમાં જે કોટિનો નિશ્ચય થવાનો છે તેની તરફ જ્ઞાનનો ઝોક થઈ જાય છે. આ સ્ત્રીનો શબ્દ હોવો જોઈએ કેમ કે તેની આ વિશેષતા છે' આ જાતનું જ્ઞાન ઈહા છે. ઈહામાં પૂર્ણ નિર્ણય થઈ શકતો નથી તેમ છતાં નિર્ણય તરફનો ઝોક અવશ્ય હોય છે. સંશયમાં જ્ઞાન કોઈ પણ કોટિ તરફ ઝૂકતું નથી. સંશય ઈહાની પહેલાં થાય છે. ઈહા થતાં સંશય દૂર થઈ જાય છે. અવાય જૈન ધર્મ-દર્શન ઈહિતાર્થનો વિશેષ નિર્ણય અવાય છે.૪ ઈહામાં આપણું જ્ઞાન અહીં સુધી પહોંચી જાય છે કે આ શબ્દ કોઈ સ્ત્રીનો હોવો જોઈએ. જ્યારે એ નિશ્ચિંત થઈ જાય છે કે આ શબ્દ સ્ત્રીનો જ છે ત્યારે આપણું જ્ઞાન અવાયની કોટિ સુધી પહોંચી જાય છે. તેમાં સમ્યક્-અસમ્યક્દ્ની વિચારણા પૂર્ણપણે પરિપક્વ થઈ જાય છે અને અસમ્યક્ત્તું ૧. અવગૃહીતાર્થવિશેષ ક્ષમીન્હા । પ્રમાણનયતત્ત્વાલોક, ૨.૮. ૨. ૩૧. ૩. તત્ત્વાર્થભાષ્ય, ૧.૧૫ ૪. કૃતિવિશેષનિર્ણયોઽવાયઃ । પ્રમાણમીમાંસા, ૧.૧.૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy