SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન શંકા એ છે કે મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કેવળ ઇન્દ્રિય અને મન જ પૂરતાં નથી. ઉદાહરણ તરીકે ચક્ષુરિન્દ્રિય લો. તેના દ્વારા જ્ઞાન ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પ્રકાશ અને પદાર્થ બન્ને ઉપસ્થિત હોય. તેથી મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે એ જરૂરી છે કે ઇન્દ્રિય અને મન ઉપરાંત પદાર્થ તથા અન્ય આવશ્યક સામગ્રી ઉપસ્થિત હોય. ૧૭૦ જૈન દર્શન આ શરતને માનતું નથી કેમ કે જ્ઞાનોત્પત્તિ અને અર્થ-આલોક વચ્ચે કોઈ વ્યાપ્તિ નથી. બીજા શબ્દોમાં, બાહ્યાર્થ અને પ્રકાશ જ્ઞાનોત્પત્તિનાં આવશ્યક અને અવ્યવહિત કારણો નથી. એ તો બરાબર છે કે આકાશ, કાલ, આદિની જેમ તેઓ વ્યવહિત યા સાધારણ કારણ બની શકે છે. એ પણ બરાબર કે તેઓ મતિજ્ઞાનાવરણ આદિ કર્મોના ક્ષયોપશમમાં ઉપકારક છે. તેમ છતાં પણ તેમને જ્ઞાનોત્પત્તિનાં કારણો ન માની શકાય કેમ કે તેમનો અને જ્ઞાનનો અવિનાભાવસંબંધ નથી. તે કેવી રીતે ? આલોક અને અર્થને જ્ઞાનોત્પત્તિમાં અવ્યવહિત કારણ ત્યારે જ માની શકાય જ્યારે આલોક અને અર્થના અભાવમાં જ્ઞાન ઉત્પન્ન થતું જ ન હોય. પરંતુ વાત તો એવી છે જ નહિ. નક્તેચર, બિલાડી વગેરે રાતે અંધકારમાં પણ દેખે છે. જો આલોકના અભાવમાં ચાક્ષુષજ્ઞાન ન થતું હોય તો તેમને રાતે અંધકારમાં કેવી રીતે દેખાય ? એમ કહેવાથી કામ નહિ ચાલે કે તેમની ચક્ષુમાં તેજ (આલોક) છે એટલે તેઓ રાતે અંધકારમાં પણ દેખી શકે છે કેમ કે એમ કહેવાનો અર્થ તો થશે સ્વપ્રતિજ્ઞાનો ત્યાગ. બીજી બાજુ ઘુવડ વગેરે દિવસના પ્રકાશમાં દેખી શકતા નથી. જો પ્રકાશ જ્ઞાનોત્પત્તિમાં આવશ્યક હોત તો ઘુવડ દિવસે દેખી શકત. આપણી સમક્ષ બન્ને જાતનાં ઉદાહરણો વિદ્યમાન છે. પહેલું ઉદાહરણ રાત અને દિન (અર્થાત્ અન્ધકાર અને પ્રકાશ) બન્નેમાં ચાક્ષુષજ્ઞાનની ઉત્પત્તિનું છે. બીજું ઉદાહરણ બિલકુલ વિપરીત છે. કેવળ અન્ધકારમાં જ થનારું ચાક્ષુષજ્ઞાન ‘આલોકના અભાવમાં ચાક્ષુષજ્ઞાન ન થઈ શકે' એ સિદ્ધાન્તનો સર્વનાશ કરે છે. આ ઉપરાંત આપણી સમક્ષ એવાં ઉદાહરણો પણ છે જેમનાથી સિદ્ધ થાય કે આલોક હોય તો જ ચાક્ષુષજ્ઞાન થાય. સાધારણ મનુષ્યોનું ચાક્ષુષજ્ઞાન આ શ્રેણીનું છે. તાત્પર્ય એ કે એવો એકાન્ત નિયમ નથી કે આલોક હોય તો જ ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય. ક્યાંક આલોક હોતાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે, ક્યાંક અન્ધકાર હોતાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ક્યાંક આલોક અને અન્ધકાર બન્ને પ્રકારની પરિસ્થતિઓમાં ચાક્ષુષજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી એ કહેવું ઉચિત નથી કે આલોક જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ છે. અર્થના અંગે પણ આ જ વાત કહી શકાય છે. મૃગજળજ્ઞાન અર્થ વિના જ ઉત્પન્ન થાય છે. સ્વપ્નજ્ઞાન વખતે પણ આપણી સમક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy