SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમીમાંસા ૧૬૯ પાંચ છે – સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. સાંખ્ય આદિ દર્શન વાફ, પાણિ આદિ કર્મેન્દ્રિયોને પણ ઇન્દ્રિયસંખ્યામાં ગણે છે. જ્ઞાનેન્દ્રિયો પાંચ જ છે. પ્રત્યેક ઇન્દ્રિય બે પ્રકારની છે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. પુદ્ગલની સંરચના દ્રવ્યેન્દ્રિય છે અને આત્માનો પરિણામ ભાવેન્દ્રિય છે. દ્રવ્યન્દ્રિયના વળી બે પેટાભેદ છે – નિવૃત્તિ અને ઉપકરણ. ઈન્દ્રિયોની વિશિષ્ટ આકૃતિઓ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની બાહ્ય અને આભ્યન્તરિક પૌગલિક શક્તિ, જેના વિના આકૃતિ હોવા છતાં જ્ઞાન ઉત્પન્ન થવું શક્ય નથી તે, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે – લબ્ધિ અને ઉપયોગ. જ્ઞાનાવરણકર્મ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી આત્મિક વિશેષ શક્તિ લબ્ધિ છે. લબ્ધિ પ્રાપ્ત થતાં આત્મા એક વિશેષ પ્રકારનો વ્યાપાર કરે છે. આ વ્યાપાર જ ઉપયોગ છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. રસનેન્દ્રિયનો વિષય રસ છે. ધ્રાણેન્દ્રિયનો વિષય ગબ્ધ છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય વર્ણ છે. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે.' મન પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય જુદો જુદો છે. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરી શકતી નથી. મને એક એવી સૂક્ષ્મ ઇન્દ્રિય છે જે બધી ઇન્દ્રિયોના બધા વિષયોને ગ્રહણ કરી શકે છે. તેથી તેને સર્વાર્થગ્રાહી ઇન્દ્રિય કહે છે. તેને અનિન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કે તે અત્યન્ત સૂક્ષ્મ છે. અનિન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયનો અભાવ નથી પરંતુ ઈષત ઇન્દ્રિય છે. જેમ અનુદરા કન્યાનો અર્થ ઉદર વિનાની છોકરી એવો નથી થતો પરંતુ તેનો અર્થ થાય છે એવી છોકરી જેનું ઉદર ગર્ભભાર સહન કરવા અસમર્થ છે. તેવી રીતે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની જેમ પ્રતિનિયત દેશ, વિષય, અવસ્થાન મનને ન હોવાથી મનને અનિન્દ્રિય કહેવામાં આવે છે. તેનું નામ અન્તઃકરણ પણ છે કેમ કે તેને અન્ય ઇન્દ્રિયોને હોય છે તેવો કોઈ બાહ્ય આકાર નથી. તેને સૂક્ષ્મ ઇન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે અન્ય ઇન્દ્રિયોની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોની જેમ મન પણ બે પ્રકારનું છે – દ્રવ્યમન અને ભાવમન. દ્રવ્યમન પૌદ્ગલિક છે. ભાવમન લબ્ધિ અને ઉપયોગ રૂપે બે પ્રકારનું છે. મતિજ્ઞાન અંગે એક શંકાનું સમાધાન કર્યા પછી અવગ્રહ આદિ વિશે લખીશું. ૧. પ્રમાણમીમાંસા, ૧.૨. ૨૧-૨૩ ૨. સર્વાર્થપ્રાપ મન: I એજન, ૧.૨.૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy