SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર ૧૬૧ (૧૪) કંટકો અધોમુખ થઈ જવા, (૧૫) ઋતુઓ અનુકૂળ થઈ જવી, (૧૬) સંવર્તક વાયુ દ્વારા એક યોજન સુધીનું ક્ષેત્ર શુદ્ધ થઈ જવું, (૧૭) મેઘ દ્વારા ધૂળની રજનું ઉપશાન્ત થઈ બેસી જવું, (૧૮) જાનુપ્રમાણ દેવકૃત પુષ્પવૃષ્ટિ થવી, (૧૯) અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શનું ન હોવું, (૨૦) મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શનું પ્રકટ થવું, (૨૧) યોજન સુધી સંભળાય તેવો હૃદયસ્પર્શી સ્વર (તીર્થંકરદેવનો) હોવો, (૨૨) અર્ધમાગધી ભાષામાં ઉપદેશ કરવો, (૨૩) અર્ધમાગધી ભાષાનું ઉપસ્થિત આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરિસૃપોની ભાષાઓમાં પરિણત થવું અને તેમને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી પ્રતીત થવું, (૨૪) પૂર્વભવના વૈરાનુબન્ધથી બદ્ધ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ્પુરુષ, ગરુડ, ગર્વ અને મહોરગે તીર્થંકર આગળ પ્રસન્નચિત્ત થઈને તેમનો ધર્મ સાંભળવો, (૨૫) અન્યતીર્થિકોએ મસ્તક નમાવી તીર્થંકરદેવને વંદન કરવાં, (૨૬) તીર્થંકરદેવ આગળ આવીને અન્યતીર્થિકોનું નિરુત્તર થઈ જવું, (૨૭) જ્યાં જ્યાં તીર્થંકરદેવ પધારે ત્યાં પચ્ચીસ યોજન સુધી ઉંદર વગેરેનો ઉપદ્રવ ન થવો, (૨૮) પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ ન થવો, (૨૯) સ્વસેનાએ વિપ્લવ ન કરવો, (૩૦) અન્ય રાજ્યની સેના દ્વારા ઉપદ્રવ ન થવો, (૩૧) લીલો દુકાળ ન પડવો, (૩૨) સૂકો દુકાળ ન પડવો, (૩૩) દુર્ભિક્ષ ન થવો અને (૩૪) પૂર્વોત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓ શમી જવાં. તિર્યંચ ――― તિર્યંચ પ્રાણીઓના બે ભેદ છે – - ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ). સ્થાવરના પાંચ પ્રકાર છે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય. તે વળી અનેક પેટાભેદોમાં વિભક્ત છે. તે સૂક્ષ્મ કે સ્થૂલ હોય છે. પૃથ્વીકાયમાં આ બધાંનો સમાવેશ થાય છે—માટી, કાંકરા, વેળુ, પથ્થર, પથ્થરના રૂપમાં મીઠું (સૈન્યવ), લોઢું, તાંબુ, ચાંદી, સોનું, હીરા, વગેરે. જલ, ઝાકળ, કરા આદિ અકાય છે. અગ્નિ, વીજળી, આદિની ગણના તેજસ્કાયમાં થાય છે. ધીમી હવા, ઘન હવા, તેજ હવા આદિ વાયુકાયની શ્રેણીમાં આવે છે. વનસ્પતિકાયના બે પ્રકારો છે સાધારણ અને પ્રત્યેક. સાધારણવનસ્પતિકાયના જીવોમાં બહુ જીવોને એક સાધારણ શરીર હોય છે. પ્રત્યેકવનસ્પતિકાયના પ્રત્યેક જીવને અલગ અલગ શરીર હોય છે. ત્રસ જીવોના ચાર પ્રકાર છે બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળાં, ચાર ઇન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા. કૃમિ, છીપ, શંખ આદિને બે ઇન્દ્રિયો (સ્પર્શન - 11 Jain Education International ―― For Private & Personal Use Only ----- www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy