SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર ૧૫૭ ત્રણ યોજન વધુ ઊંચે શુક્રો છે. તેમનાથી પણ ત્રણ યોજન અધિક ઊંચે બૃહસ્પતિ, તેમનાથી પણ ત્રણ યોજન વધુ ઊંચે અંગારક અને તેમનાથી ત્રણ યોજન વધુ ઊંચે શનૈશ્ચર છે. આ જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની ચારે બાજુ મનુષ્યક્ષેત્ર અન્તર્ગત, જે અઢી દ્વીપો અને બે સાગરો સુધી છે, સદા ગતિમાનૢ રહે છે. મનુષ્યક્ષેત્રની બહાર તેઓ સ્થિર રહે છે. જમ્બુદ્વીપમાં ૨, લવણસમુદ્રમાં ૪, ધાતકીખંડમાં ૧૨, કાલોદધિમાં ૪૨ અને પુષ્પકાર્ધમાં ૭૨ આમ કુલ મળીને મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચન્દ્ર છે. સમયવિભાજન આ જ્યોતિર્મય દેવોની ગતિ ઉપરથી જ નિર્ધારિત થાય છે. વૈમાનિક દેવો બે પ્રકારના છે —— કલ્પોમાં જન્મ લેનારા અર્થાત્ કલ્પોપપન્ન અને કલ્પોની પાર જન્મ લેનારા અર્થાત્ કલ્પાતીત. કલ્પોમાં રહેનારા દેવોના ૧૨ ઇન્દ્રો છે. કલ્પોની પાર જન્મ લેનાર દેવોના ઇન્દ્ર આદિ નથી હોતા. ઉપર ઉપરના વૈમાનિક દેવો નીચે નીચેના વૈમાનિક દેવોથી આયુ, બલ, સુખ, તેજ વગેરે દૃષ્ટિએ શ્રેષ્ઠતર હોય છે. કલ્પોપપન્ન દેવોમાં નીચે જણાવેલાં દસ પદો હોય છે (૧) ઇન્દ્ર તેઓ સામાનિક આદિ બધી જાતના દેવોના સ્વામી હોય છે. (૨) સામાનિક—તેઓ સમૃદ્ધિમાં ઇન્દ્ર સમાન છે પરંતુ તેમનામાં ઇન્દ્રપણું નથી. (૩) ત્રાયસિઁશ — તેઓ મંત્રીનું કામ કરે છે. (૪) પારિષઘ · તેઓ મિત્રનું કામ કરે છે. (૫) આત્મરક્ષ તેઓ શસ્ર લઈને પાછળ ઊભા રહે છે. (૬) લોકપાલ અનીક - તેઓ સૈનિકરૂપ છે. (૮) પ્રકીર્ણક તેઓ નાગરિક સમાન છે. (૯) આભિયોગ્ય તેઓ સેવકતુલ્ય છે. (૧૦) કિક્વિષિક તેઓ અન્ત્યજતુલ્ય છે. ભવનપતિદેવોમાં પણ આ દસ પદો હોય છે. વ્યન્તરો અને જ્યોતિષ્પોમાં ત્રાયશિ અને લોકપાલ સિવાયના આઠ પદો હોય છે. તેઓ સીમાની રક્ષા કરે છે. (૭) ― - --- Jain Education International - ― ૧. સર્વાર્થસિદ્ધિ, ૪.૧૨-૧૫; ધવલા, પુસ્તક ૪, પૃ. ૧૫૦-૧૫૧. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૪.૧૮, ૨૧. ૩. એજન, ૪.૪-૫. ૪. સર્વાર્થસિદ્ધિ, ૪.૨૪-૨૫. બ્રહ્મ અથવા બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની (કલ્પની) ચારે બાજુ દિશાઓ વિદિશાઓમાં લોકાન્તિક દેવો રહે છે. તેઓ વિષયરતિરહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેમનામાં પારસ્પરિક ઊંચનીચભાવનો અભાવ છે. તેઓ તીર્થંકરોના અભિનિષ્ક્રમણ અર્થાત્ ગૃહત્યાગના સમયે તેમની આગળ ઉપસ્થિત થઈને પ્રતિબોધ દેવાના પોતાના આચારનું પાલન કરે છે. For Private & Personal Use Only ― - www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy