SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન ધર્મ-દર્શન સૌધર્મ કલ્પ જ્યોતિશ્ચક (જેનું ક્ષેત્ર મેરુના સમતલ ભૂભાગથી ૭૯૦યોજનની ઊંચાઈથી શરૂ થઈ ૯૦૦યોજનની ઊંચાઈ સુધી છે) ની ઉપર અસંખ્યય યોજના ગયા પછી મેરુના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત પ્રદેશમાં સ્થિત છે. તેની ઘણે ઉપર ઉત્તર તરફ ઐશાન કલ્પ છે. સૌધર્મની ઉપર સમશ્રેણિમાં સાનકુમાર કલ્પ છે અને ઐશાનની ઉપર સમશ્રેણિમાં માહેન્દ્ર કલ્પ છે. આ બન્નેની ઉપર મધ્યમાં બ્રહ્મલોક કલ્પ છે. બ્રહ્મલોકની ઉપર સમશ્રેણીમાં ક્રમશઃ લાત્તવ, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પ એકબીજાની ઉપર છે. તેમની ઉપર દક્ષિણમાં આનત અને ઉત્તરમાં પ્રાણત કલ્પ છે. તેમની ઉપર સમશ્રેણિમાં આરણ અને અશ્રુત કલ્પ છે. આ બધા કલ્પો ઉપર અનુક્રમે નવ કલ્પાતીત વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે. આ વિમાનો પુરુષાકાર લોકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાના કારણે રૈવેયક કહેવાય છે. તેમના ઉપર વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ કલ્પાતીત વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે, અને તેઓ સૌથી ઉત્તર અર્થાત પ્રધાન અથવા શ્રેષ્ઠ હોવાના કારણે અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અય્યત સુધીના વિમાનોમાં રહેનારા દેવો કલ્પોપપન્ન તથા તેમની ઉપરનાં બધાં વિમાનોમાં રહેનારા દેવો કલ્પાતીત કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર બાર યોજન દૂર ઇષત્માશ્માર પૃથ્વી (સિદ્ધશિલા) છે. તે ઉઘાડેલી છત્રીના આકારની છે. તે પિસ્તાળીસ લાખ યોજન લાંબી-પહોળી (ગોળ) અને વચ્ચે આઠયોજન મોટી છે. અલોકથી તે એક યોજન દૂર છે. આ યોજનાના સૌથી ઉપરના ભાગમાં સિદ્ધ અર્થાત મુક્ત આત્માઓ અનન્તકાલ રહે છે. આ સ્થાન પછી લોકનો અત્ત થઈ જાય છે તથા કેવળ આકાશ અર્થાત્ અલોક રહી જાય છે. નારકો આપણે મધ્યલોકમાં રહીએ છીએ. ઊર્ધ્વલોકમાં દેવો રહે છે તથા અધોલોકમાં નારકો રહે છે. અધોલોકમાં એક પછી એક સાત પૃથ્વીઓ છે. પ્રત્યેક પૃથ્વી ઘન જલથી ઘેરાયેલી છે. ઘન જલનો ઘેરો ઘન હવાથી ઘેરાયેલો છે. ઘન હવાનો - ૧. દિગમ્બર પરંપરામાં બ્રહ્મોત્તર, કાપિઇ, શુક્ર અને શતાર નામનાં ચાર કલ્પો અધિક માનવામાં આવ્યાં છે જે ક્રમશઃ છઠ્ઠા, આઠમા, નવમા અને અગિયારમાં ક્રમ ઉપર છે. ૨. અનુત્તર અર્થાત્ જેનાથી કોઈ અન્ય શ્રેષ્ઠ ન હોય અર્થાત્ સર્વશ્રેષ્ઠ. ૩. તત્ત્વાર્થસૂત્ર, ૪.૧૭-૨૦. ૪. ઉત્તરાધ્યયનસૂત્ર, ૩૬.૫૮-૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy