SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન ધર્મ-દર્શન પરિવર્તનમાં સહાયક બને છે. આમ માનવામાં પણ એક મુશ્કેલી છે. ગતિ અને સ્થિતિ વસ્તુનો અનિવાર્ય ધર્મ નથી. વસ્તુ ક્યારેક ગતિશીલ હોય છે અને ક્યારેક સ્થિતિશીલ. જીવ અને પુદગલ જ્યારે ગતિ કરવા ઇચ્છે છે ત્યારે ધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. તેવી જ રીતે જીવ અને પુદ્ગલ જ્યારે સ્થિત થવા ઇચ્છે છે ત્યારે અધર્મ દ્રવ્ય તેમની સહાયતા કરે છે. જીવ અને પુગલની ગતિ અને સ્થિતિ ઐચ્છિક છે, અનિવાર્ય નથી. ઐચ્છિક ક્રિયા ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. તેથી તેનું કોઈ સહાયક કારણ યા માધ્યમ માની શકાય. પરિવર્તન અને સ્થાયિત્વ આ પ્રકારના ધર્મો યા ક્રિયાઓ નથી, તેઓ ઐચ્છિક નથી– કોઈની ઇચ્છા પર નિર્ભર નથી અને તેથી કદાચિત્ક નથી. તે ધર્મો તો સ્વાભાવિક અને અનિવાર્ય છે. તેમનો વસ્તુની સત્તા સાથે અવિચ્છેદ્ય સંબંધ છે. જેમ સત્તાને માટે કોઈ સહાયક કારણ અપેક્ષિત નથી તેમ જ પરિવર્તન અને સ્થાયિત્વ માટે પણ કોઈ સહાયક કારણની અપેક્ષા ન જ હોવી જોઈએ. પદાર્થ સ્વભાવથી જ ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્યથી યુક્ત છે. તેના માટે કાલ નામના કોઈ તત્ત્વવિશેષની કલ્પના અનાવશ્યક છે. પદાર્થોમાં જેમ સ્વાભાવિક પરિવર્તન દેખાય છે તેવી જ રીતે એકબીજાના પ્રભાવથી ઉત્પન્ન પરિવર્તન પણ દેખાય છે. ગમે તેવું પરિવર્તન કેમ ન હોય, વસ્તુને પરિવર્તનશીલ સ્વભાવવાળી જ માનવી પડશે.જો વસ્તુ સ્વભાવતઃ પરિવર્તનશીલ ન હોય તો કોઈ પણ રીતે અથવા કોઈ પણ અન્ય વસ્તુની ઉપસ્થિતિમાં તેનામાં કોઈ પણ પરિવર્તન થઈ શકે જ નહિ. આમ તો પદાર્થો એકબીજાથી પ્રભાવિત થતા રહે છે, એકબીજાને પ્રભાવિત કરતા રહે છે. સામાન્યપણે પરિવર્તન અથવા વર્તના અનિવાર્ય છે, ઐચ્છિક નથી; સર્વદા છે, કાદાચિત્ક નથી. તે સદા સર્વત્ર સ્વતઃ પ્રવર્તિત છે. તો પછી કાલ શું છે? વસ્તુના કોઈ પણ પરિવર્તન, પરિણામ અથવા પર્યાયને કાલનું નામ આપવામાં આવે છે. કાલ પરિવર્તનને સમજવાનો એક સંકેત છે. તે વિવિધ રૂપોમાં વિવિધ અવસ્થાઓનો બોધ કરાવે છે. વસ્તુની વિભિન્ન અવસ્થાઓના (પર્યાયોના) આધારે કાલના વિભિન્ન રૂપો-વર્તમાન, ભૂત, ભવિષ્યયૌગપઘ, કમિકત્વ, પૂર્વ, પશ્ચાત્ આદિનો બોધ થાય છે. સમયની ગણનામાં પણ પદાર્થોનો જ આધાર લેવામાં આવે છે. પદાર્થોથી અલગ કાલ દ્રવ્યના અણુઓ – કાલાણુઓની સ્વતંત્ર સત્તા માનવાની કોઈ આવશ્યકતા નથી. બધા પદાર્થ સદા સર્વદા સ્વભાવતઃ પરિવર્તનશીલ છે. આ પરિવર્તન સ્વતઃ થાય છે. કાલ ન તો તેનું ઉપાદાનકારણ છે, ન તો નિમિત્તકારણ. એથી ઊલટું આ પરિવર્તન ખુદ જ કાલ છે. કેટલાક જૈન દાર્શનિકોએ કાલને સ્વતન્ત્રદ્રવ્ય માન્યું નથી પરંતુ જીવ આદિ દ્રવ્યોના પર્યાયોને જ કાલ ગણેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy