SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર ૧૪૭ પરિવર્તનની વચ્ચે ધ્રૌવ્ય અર્થાત્ સ્થાયિત્વનું અસ્તિત્વ વર્તના કહેવાય છે. કાલ એવા પરિવર્તનનું કારણ છે જેમાં સ્થાયિત્વ વિદ્યમાન હોય છે. કાલથી નિરન્વય વિનાશ નથી થતો પરંતુ વર્તના થાય છે સાન્વય પરિવર્તન થાય છે. આમ કાલ પ્રત્યેક વસ્તુના સ્વભાવિક પરિવર્તનનું માધ્યમ અથવા સહાયક કારણ છે. કાલ અથવા પરિવર્તનને વ્યાવહારિક દષ્ટિએ માપવા-સમજવા માટે વિવિધ સંકેતો અથવા પ્રતીકોનો આધાર લેવામાં વે છે. - પરિવર્તન અને સ્થાયિત્વ બન્ને પદાર્થના સ્વાભાવિક ધર્મો છે. શું તેમને માટે કોઈ અન્ય કારણ અથવા માધ્યમની આવશ્યકતા છે ? શું કાલના માધ્યમ વિના પદાર્થોમાં પરિવર્તન નથી થઈ શકતું ? માની લો કે પરિવર્તન માટે કાલ નામનું તત્ત્વ આવશ્યક છે. હવે પ્રશ્ન એ છે કે કાલ પરપરિવર્તનનું કારણ છે કે સ્વપરિવર્તનનું કે બન્નેનું ? સ્પષ્ટ છે કે કેવળ પરપરિવર્તનનું કે સ્વપરિવર્તનનું કારણ ન માની શકાય. તેને સ્વ-પરપ્રકાશક દીપકની જેમ બન્ને પ્રકારના પરિવર્તનનું કારણ માનવું પડશે. પરંતુ જીવ આદિ પર પદાર્થોના પરિવર્તન અથવા વર્તના માટે તો કાલ નામના એક સ્વતન્ત્ર તત્ત્વની સહાયતાની આવશ્યકતા છે પણ કાલના પોતાના પરિવર્તન માટે કોઈ અન્ય તત્ત્વની સહાયતાની આવશ્યકતા નથી. કાલ પોતાના સ્વભાવથી જ સ્વતઃ પરિવર્તિત થતો રહે છે. જેવી રીતે કાલ સ્વતઃ પરિવર્તનશીલ છે તેવી જ રીતે જીવ આદિ પદાર્થ સ્વતઃ પરિવર્તનશીલ ન હોઈ શકે ? તેમના પરિવર્તન માટે કોઈ અન્ય સહાયકની શું આવશ્યકતા છે ? તેનો ઉત્તર એ છે કે જેમ દીપક સ્વતઃ પ્રકાશિત થતો અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી જ રીતે કાલ સ્વતઃ પરિવર્તિત થતો જીવ આદિને પરિવર્તિત કરે છે. દીપકને પ્રકાશિત કરવા માટે કોઈ અન્ય પ્રકાશની જરૂરત નથી પડતી કેમ કે દીપક સ્વયં પ્રકાશમાન છે પરંતુ અન્ય પદાર્થોને પ્રકાશિત કરવા માટે દીપકની આવશ્યકતા છે, ઉપયોગિતા છે કેમ કે તે પદાર્થો અપ્રકાશમાન છે. દીપક અપ્રકાશમાનને પ્રકાશિત કરે છે, પ્રકાશમાનને પ્રકાશિત કરતો નથી. પ્રકાશમાનને પ્રકાશિત કરવાથી તો અનવસ્થા થશે. જે રીતે દીપક અપ્રકાશમાન વસ્તુને પ્રકાશિત કરે છે તેવી જ રીતે શું કાલ પણ અપરિવર્તનશીલ પદાર્થોને પરિવર્તિત કરે છે ? ના, એવું માની શકાય નહિ. પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ પરિવર્તનશીલ છે, તેથી તેને અપરિવર્તનશીલ કેવી રીતે કહી શકાય ? જો વસ્તુ સ્વયં પરિવર્તનશીલ છે તો પરિવર્તન માટે કાલની શી આવશ્યકતા છે? કાલ પરિવર્તનનું સહાયક કારણ છે અર્થાત્ પરિવર્તનશીલ પદાર્થોના પરિવર્તનમાં સહાયતા કરે છે. જેમ ધર્મ ગતિમાં તથા અધર્મ સ્થિતિમાં સહાયક બને છે તેમ જ કાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy