SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ જેને ધર્મ-દર્શન એક પણ પરમાણુ હોય તો બન્ધ થઈ શકતો નથી. શ્વેતામ્બર માન્યતા અનુસાર એક પરમાણુ કરતાં બીજા પરમાણુમાં સ્નિગ્ધતા યા રૂક્ષતાની બે, ત્રણ, ચાર, યાવતુ અનન્ત માત્રા અધિક હોય તો પણ બંધ થાય છે, કેવલ એક જ માત્રા અધિક હોય તો બંધ થતો નથી. દિગમ્બર માન્યતા અનુસાર કેવળ બે માત્રા અધિક હોય તો જ બંધ થાય છે. એક પરમાણુ કરતાં બીજા પરમાણુમાં સ્નિગ્ધતા યા રૂક્ષતાની ત્રણ, ચાર યાવતુ અનન્ત માત્રા અધિક હોતાં બંધ થતો નથી. શ્વેતામ્બર પરંપરાની ધારણા અનુસાર બે, ત્રણ આદિ માત્રાઓ અધિક હોતાં બંધનું જે વિધાન છે તે અસદેશ પરમાણુઓ માટે જ છે, સંદેશ પરમાણુઓ માટે નથી. દિગમ્બર ધારણા અનુસાર આ વિધાન સદેશ અને અસદેશ બન્ને પ્રકારના પરમાણુઓ માટે છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાઓના બંધવિષયક મતભેદનો સાર નીચે મુજબ છે. શ્વેતામ્બર પરંપરા ગુણ/માત્રા સંદેશ વિદેશ (૧) જઘન્ય + જઘન્ય નથી નથી (૨) જઘન્ય + એકાધિક (૩) જઘન્ય + ત્યધિક (૪) જઘન્ય + ત્યધિકાદિ (પ) જાન્યતર + સમજઘન્યતર (૬) જઘન્યતર + એકાધિક જઘન્યતર (૭) જઘન્યતર + ધિક જઘન્યતર (૮) જાન્યતર + રાધિકાદિ જઘન્યતર દિગમ્બર પરંપરા ગુણ/માત્રા સદશ વિદેશ (૧) જઘન્ય + જઘન્ય નથી નથી (૨) જઘન્ય + એકાધિક નથી નથી (૩) જઘન્ય + યધિક નથી નથી (૪) જઘન્ય + વ્યધિકાદિ નથી (૫) જાન્યતર + સમજઘન્યતર નથી નથી (૬) જઘન્યતર + એકાધિક જધન્યતર નથી 9 $ $ $ $ $ $ નથી નથી ૧. તત્ત્વાર્થસૂત્ર (પંડિત સુખલાલ સંઘવી), પૃ. ૨૦૨-૨૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy