SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શનનો પ્રતિનિધિ ગ્રંથ ભારતીય વાયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય... આવા અણમોલ ગ્રંથોનો સાત ભાગોમાં હિન્દી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગુજરાતી ભાષામાં અનુવાદરૂપે આપવા પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)એ વિચાર્યું. આ સાતે ભાગ ઉપરાંત આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રમાણમીમાંસા તથા ડૉ. મોહન લાલ મેહતા લિખિત હિંદી જૈન ધર્મ-દર્શન નો અનુવાદ આપવાનું પણ વિચાર્યું. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી અનુવાદ અને સંપાદનનું કાર્ય સંપન્ન કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજયશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ નવ ગ્રંથો ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં ડૉ. મોહન લાલ મેહતા દ્વારા હિન્દી ભાષામાં લિખિત જૈન ધર્મ-દર્શન ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. આના અનુવાદક ડૉ. નગીન શાહ છે. જૈન ધર્મ-દર્શન ગ્રંથમાં ભારતીય ધર્મ દર્શનના એક મહત્ત્વપૂર્ણ અંગ એવા જૈન ધર્મ-દર્શનનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન ધર્મ-દર્શનના સમસ્ત મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર પ્રસ્તુત ગ્રંથમાં પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ ગ્રંથ ધર્મ-દર્શનના અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓ સૌને માટે ઉપયોગી થશે તેવી અમને આશા છે. એ જ વિ.સં. ૨૦૬૨, અષાઢ સુ.૧૫, મંગળવાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મુંબઈ મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy