SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર ૧૨૩ જાય છે તેટલી સરળતાથી આપણે તે ગબ્ધને પારખી ત્યાં સુધી પહોંચી શકતા નથી. એનો અર્થ એ જ છે કે કોઈની ઇન્દ્રિયશક્તિ એટલી તો તીવ્ર હોય છે કે બહુ દૂરથી સામાન્ય વસ્તુની ગબ્ધને પણ તે જાણી લે છે જયારે કોઈની ઇન્દ્રિયશક્તિ એટલી તો મન્દ હોય છે કે નજીક રહેલી વસ્તુની તીવ્ર ગબ્ધને પણ તે જાણી શકતી નથી. આમ વાયુ, પાણી, અગ્નિ આદિમાં ગન્ધનો સામાન્ય રીતે અનુભવ થતો ન હોવા છતાં પણ તેમનામાં રૂપ, રસ આદિની જેમ ગન્ધ પણ હોય છે જ. વૈશેષિક દર્શન જેમ પૃથ્વી વગેરે દ્રવ્યોમાં ભિન્ન ભિન્ન ગુણ માને છે તેમ પૃથ્વી વગેરે ભિન્ન દ્રવ્યોમાં ભિન્ન પરમાણુઓ પણ માને છે. પૃથ્વીના પરમાણુઓ અલગ છે, પાણીના પરમાણુઓ અલગ છે, તેના પરમાણુઓ અલગ છે, અને વાયુના પરમાણુઓ અલગ છે. આમ પરમાણુઓમાં જાતિભેદ છે. બધા પરમાણુઓ એક જાતિના નથી. પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના છે. પૃથ્વીના પરમાણુઓ પાણીના પરમાણુઓ નથી બની શકતા, પાણીના પરમાણુઓ પૃથ્વીના પરમાણુઓમાં પરિવર્તિત નથી થઈ શકતા ઈત્યાદિ. આ વૈશેષિક દર્શનનો પરમાણુનિત્યવાદ છે. બધા દ્રવ્યોમાં પરમાણુઓ નિત્ય છે. તેમનાં કાર્યો બદલાતાં રહે છે પરંતુ પરમાણુઓ ખુદ કદી બદલાતા નથી. જૈન દર્શન આવું માનતું નથી. તેના મતાનુસાર પૃથ્વી આદિ કોઈ પણ પુદ્ગલ દ્રવ્યના પરમાણુ અપૂ આદિ રૂપમાં પરિણત થઈ શકે છે. પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થયા કરે છે. નવા નવા સ્કન્ધોના ભેદથી અર્થાત્ તૂટવાથી નવા નવા પરમાણુઓ ઉત્પન્ન થતા રહે છે. કોઈ પણ સ્કન્ધ સાથે મળી જવાથી પરમાણુઓ સ્કન્ધરૂપ બની જાય છે અને સ્કન્ધનો ભેદ થતાં પુનઃ નવા પરમાણુરૂપમાં રહેવા લાગે છે. પરમાણુઓની એવી જાતિઓ નથી જેમનામાં તેઓ નિત્ય રહેતા હોય. એક પરમાણુનું બીજા રૂપમાં બદલાઈ જવું એ તો સામાન્ય વાત છે. વૈશેષિકોના પરમાણુનિત્યવાદને જૈન દર્શન સ્વીકારતું નથી. ગ્રીક દાર્શનિક લ્યુસિપસ અને ડેમોક્રિટસ પણ જૈનદર્શનની જેમ પરમાણુઓમાં જાતિભેદ માનતા નથી. બધા પરમાણુઓ તેમના મતે એક જ જાતિના છે, અને તે એક જાતિ છે ભૂત સામાન્ય યા જડસામાન્ય. સમીક્ષા–પુદ્ગલનો અવિભાજ્ય અંશ અણુ અથવા પરમાણુ કહેવાય છે. અણુ એટલો સૂક્ષ્મ હોય છે કે તેના ભાગ થઈ શકતા નથી. તે પુગલનો સૂક્ષ્મતમ અને અન્તિમ ભાગ છે. તેની સૂક્ષ્મતાનું અનુમાન આનાથી થઈ શકે છે કે તે પોતે જ પોતાનો આદિ છે, તે પોતે જ પોતાનો મધ્ય છે અને તે પોતે જ પોતાનો અન્ન છે. બીજા શબ્દોમાં, પરમાણુ એટલો તો સૂક્ષ્મ છે કે તેના આદિ, મધ્ય અને અન્ન એવા ભાગ નથી થઈ શકતા. તેનો આદિ જ તેનો મધ્ય પણ છે અને અત્ત પણ છે. તેના આદિ, મધ્ય અને અન્ત ત્રણે એક જ હોય છે. જ્યારે તે આટલો બધો સૂક્ષ્મ છે તો સ્વાભાવિક છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy