SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન ધર્મ-દર્શન ૧ આત્મા અને મન. આ નવ દ્રવ્યોમાંથી પ્રથમ ચા૨ દ્રવ્યોમાં અર્થાત્ પૃથ્વી, અપ્, તેજ અને વાયુમાં જે ગુણો વૈશેષિકો માને છે તે બધા ગુણો પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. વૈશેષિક વાયુને સ્પર્શગુણયુક્ત માને છે. તે કહે છે કે વાયુમાં વર્ણ, રસ, ગન્ધ નથી. જૈન દાર્શનિક આ વાત માનતા નથી. તે કહે છે કે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ સહચારી છે. જ્યાં આ ચારમાંથી એક પણ ગુણની પ્રતીતિ થતી હોય ત્યાં બાકીના ત્રણ ગુણો પણ અવશ્ય હોય છે. તેમની સૂક્ષ્મતાના કારણે ભલે પ્રતીતિ ન થતી હોય પરંતુ તેમનો સદ્ભાવ ત્યાં અવશ્ય હોય છે. રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ ચારે ગુણ પ્રત્યેક ભૌતિક પદાર્થમાં હોય છે, પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં હોય છે. વાયુમાં રૂપ હોય છે કેમ કે રૂપ સ્પર્શવિનાભાવી છે, જેમ કે ઘટમાં રૂપ છે કારણ કે ત્યાં સ્પર્શ છે. વાયુમાં રૂપ હોવા છતાં રૂપનું ગ્રહણ કેમ થતું નથી ? તેનું કારણ એ છે કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થૂળ વિષયને ગ્રહણ કરે છે. જેમ સૂક્ષ્મ ગન્ધ હોવા છતાં પણ ઘ્રાણેન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી નથી તેમ વાયુમાં સૂક્ષ્મ રૂપ હોવા છતાં ચક્ષુરિન્દ્રિય તેનું ગ્રહણ કરી શકતી નથી. જૈનોની આ માન્યતા આધુનિક વિજ્ઞાનની કસોટીથી પણ સાચી ઠરે છે. વિજ્ઞાન માને છે કે ‘નિરંતર ઠંડો રહેવાથી વાયુ એક પ્રકારના નીલ રસમાં પરિવર્તિત થઈ જાય છે, જેમ બાષ્પ પાણીના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે તેમ’. જ્યારે વાયુમાં રૂપ સિદ્ધ થઈ જાય છે ત્યારે રસ અને ગન્ધ તો સિદ્ધ થઈ જ જાય છે. વૈશેષિક તેજમાં રસ અને ગન્ધ નથી માનતા. તેઓ કહે છે કે તેજમાં સ્પર્શ અને રૂપ જ હોય છે. આ ધારણા પણ મિથ્યા છે. તેજ અર્થાત્ અગ્નિ પણ એક પ્રકારનું પુદ્ગલ દ્રવ્ય છે એટલે તેમાં ચારે ગુણ હોય છે. વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે. વિજ્ઞાન અનુસાર અગ્નિ એક ભૌતિક દ્રવ્ય છે જેમાં ઉષ્ણતાનો અંશ અધિક હોય છે. ગન્ધ કેવલ પૃથ્વીમાં છે એવો વૈશેષિકોનો નિશ્ચિત મત છે. આ મત પણ યોગ્ય નથી. આપણને સાધારણ રીતે વાયુ, અગ્નિ વગેરેમાં ગન્ધનો અનુભવ નથી થતો. પરંતુ તેના આધારે આપણે એ ન કહી શકીએ કે તેમનામાં ગન્ધ છે જ નહિ. કીડી જેટલી સરળતાથી સાકરની ગન્ધ જાણી લે છે તેટલી સરળતાથી આપણે જાણી શકતા નથી. બિલાડી જેટલી સરળતાથી દહીં અને દૂધની ગન્ધને આધારે ત્યાં સુધી પહોંચી ૧. વૈશેષિકસૂત્ર, ૧.૧.૫. ૨. એજન, ૨.૧.૪. 3. Air can be converted into bluish liquid by continuous cooling, just as steam can be converted into water. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy