SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર 117 જ થાય છે, અન્યમાં નથી થતી. પુદ્ગલનું એક રૂપમાંથી બીજા રૂપમાં પરિણમન પૂરણ અને ગલન દ્વારા જ થાય છે. પુદ્ગલના મુખ્ય ચાર ધર્મ છે - સ્પર્શ, રસ, ગબ્ધ અને વર્ણ. પુદ્ગલના પ્રત્યેક પરમાણુમાં આ ચારે ધર્મ હોય છે. તેમના વીસ ભેદો જૈન દર્શનમાં કરવામાં આવે છે. 1 સ્પર્શના આઠ ભેદ છેમૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. રસના પાંચ ભેદ છે –તિક્ત, કટુક, આમ્લ, મધુર અને કષાય ગન્ધ બે પ્રકારની છે - સુરભિગન્ધ અને દુરભિગન્ધ. વર્ણના પાંચ પ્રકાર છે - નીલ, પીત, શુક્લ, કૃષ્ણ અને લોહિત. આ વીસ મુખ્ય ભેદ છે. તેમનું વિભાજન સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ભેદોમાં થઈ શકે છે. એક પુદ્ગલ પરમાણુમાં ઓછામાં ઓછા કેટલા સ્પર્શ વગેરે હોય છે એનો નિર્દેશ પરમાણુના સ્વરૂપવર્ણન વખતે કરવામાં આવશે. વર્ણ વગેરે પુગલના પોતાના ધર્મ છે કે પછી આપણે તે ધર્મોનો પુદગલમાં આરોપ કરીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે તે ધર્મો પુદ્ગલના જ ધર્મો છે. જે ધર્મ જેનો ન હોય તે ધર્મનો તેમાં હમેશાં આરોપ ન થઈ શકે, અન્યથા કોઈ પણ ધર્મ વાસ્તવિક નહિ રહે. એ સાચું કે વર્ણ આદિના પ્રતિભાસમાં ઓછુવતું અંતર પડી શકે છે. એક વસ્તુ એક વ્યક્તિને અધિક કાળી દેખાય જ્યારે બીજી વ્યક્તિને થોડી ઓછી કાળી દેખાય. આનો અર્થ એ તો ન જ થાય કે વસ્તુમાં કાળો વર્ણ જ અયથાર્થ છે. જો એવું હોત તો કોઈ પણ વસ્તુ કાળી દેખાત કેમ કે કાળાપણું વસ્તુમાં તો છે નહિ. જેને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને વસ્તુ કાળી દેખાતી. પરંતુ આવું તો છે જ નહિ. તેથી વર્ણ આદિ ધર્મોને વસ્તુગત જ માનવા જોઈએ. તેમને જાણવા માટે કેટલાંક કારણોનું હોવું કેટલાંક પ્રાણીઓને માટે આવશ્યક છે એ વાત સાચી પરંતુ એનો અર્થ એ તો હરગિજ ન થાય કે તે ગુણો સ્વયં કંઈ છે જ નહિ. ગુણો સ્વતંત્રપણે યથાર્થ છે અને તેમની પ્રતીતિનાં કારણો અલગ છે. બન્ને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ન તો ગુણોની સત્તા હોવાથી આવશ્યક કારણો અસત્ બની જાય કે ન તો કારણોનું અસ્તિત્વ હોવાને લીધે ગુણો જ મિથ્યા બની જાય. બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સમીક્ષા - જે તત્ત્વ સામાન્યપણે જડ અથવા ભૂત કહેવાય છે તે જ જૈન દર્શનમાં “પુગલ’ કહેવાય છે. “પુદ્ગલ' શબ્દ બે શબ્દોનો બનેલો છે - “પુત્ર અને “ગલ', 1. એજન, 5.23. 7-10. 2. સર્વાર્થસિદ્ધિ, 5.23. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy