SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારનો પરિચય ૪૭ દેવચન્દ્રના પ્રસાદથી જ્ઞાનસમ્પત્તિનો મહોદય તેમને પ્રાપ્ત થયો હતો. પરંતુ દીક્ષાગુર દેવચન્દ્ર વિદ્યાગુરુ હશે કે નહિ અને હશે તો ક્યાં સુધી, આ પ્રશ્નનો ઉત્તર મળતો નથી. “પ્રભાવકચરિત' અનુસાર સોમચન્દ્રને (આચાર્ય થયા પહેલાં) તર્ક, લક્ષણ અને સાહિત્ય ઉપર શીઘ્રતાથી પ્રભુત્વ પ્રાપ્ત થયું હતું, અને “શતસહસ્રપદ'ની ધારણશક્તિથી તેમને સન્તોષ ન થયો એટલે કાશ્મીરદેશવાસિનીની આરાધના કરવા માટે કાશ્મીર જવા માટેની અનુમતિ ગુરુ પાસે માગી પરંતુ તે “કામીરદેશવાસિની બ્રાહ્મી' માટે તેમને કાશમીર જવું ન પડ્યું; કિન્તુ કે શ્મીર માટે પ્રયાણ કરતાં જ ખંભાતની બહાર શ્રીરૈવત વિહારમાં તે બ્રાહ્મીનો તેમને સાક્ષાત્કાર થયો અને એ રીતે તે સ્વયં “સિદ્ધસારસ્વત’ થયા.' પ્રભાવકચરિત'ના આ કથનમાંથી ઐતિહાસિક તાત્પર્ય શું કાઢવું એ વિચારણીય છે. મને એવું લાગે છે કે સોમચન્દ્ર ભલે કાશ્મીર ન ગયા હોય તો પણ તેમણે કાશ્મીરી પંડિતો પાસે અધ્યયન કર્યું હશે. કાશ્મીરી પંડિતો ગુજરાતમાં આવતા જતા હતા એ હકીકત બિલ્પણના આગમનથી સૂચિત થાય છે. “મુદ્રિતકુમુદચન્દ્ર' નાટક અનુસાર જયસિંહની સભામાં ઉત્સાહ નામના કાશ્મીરી પંડિત હતા. હેમચન્દ્રને વ્યાકરણ લખતાં પહેલાં વ્યાકરણના ગ્રન્થોની જરૂરત પડી હતી જેમને લેવા માટે ઉત્સાહ પંડિત કાશ્મીર દેશ ગયા હતા અને ત્યાંથી આઠ વ્યાકરણ લાવ્યા હતા. જ્યારે “સિદ્ધહેમ' ગ્રન્થ પૂરો થયો ત્યારે તેમણે તેને શારદા દેશમાં મોકલ્યો હતો. આ ઉપરાંત કાવ્યાનુશાસનમાં હેમચન્દ્ર જે બહુમાનથી અભિનવગુપ્તનો ઉલ્લેખ કરે છે તે પણ તેમનો કાશ્મીરી પંડિતો સાથે ગાઢ વિદ્યાપરિચય સૂચિત કરે છે. વિ.સં. ૧૧૬૬ (ઈ.સ. ૧૧૧૦)માં એકવીસ વર્ષની આયુમાં સોમચન્દ્ર હેમચન્દ્રસૂરિ થયા એ યુવાવસ્થામાં પ્રાપ્ત અસાધારણ પાંડિત્યનો પ્રભાવ હશે. તર્ક, લક્ષણ અને સાહિત્ય એ તે યુગની મહાવિદ્યાઓ હતી અને આ ત્રયીનું પાંડિત્ય રાજદરબાર અને સમાજમાં અગ્રગણ્ય બનવા માટે જરૂરી હતું. આ ત્રણેયમાં હેમચન્દ્રનું અનન્ય અસાધારણ પાંડિત્ય હતું એ તેમના તે તે વિષયના ગ્રન્થો ઉપરથી સ્પષ્ટ જણાય છે. આચાર્ય બન્યા પછી અને પહેલાં હેમચન્દ્ર ક્યાં ક્યાં વિહાર કર્યો હશે એને વિગતે જાણવા માટે આપણી પાસે કોઈ સાધન નથી. આચાર્ય બન્યા પહેલાં ગુજરાતની બહાર ૧. પ્રભાવક ચરિત, પૃ. ૨૯૮-૨૯૯. ૨. એ ઉલ્લેખનીય છે કે “કાવ્યપ્રકાશની સન્માવ્ય પ્રથમ ટીકા “સંકેત ગુજરાતના માણિજ્યચન્દ્ર લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy