SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ જોયું છે. - ‘અપ્રાપ્તકાલ’નો પક્ષકાર આની સામે કહે છે - જેમ અશુદ્ધ શબ્દને સાંભળ્યા પછી શુદ્ધ શબ્દનું સ્મરણ થાય છે અને શુદ્ધ શબ્દના સ્મરણ પછી શુદ્ધ શબ્દથી અર્થનું જ્ઞાન થાય છે તેવી જ રીતે પ્રતિજ્ઞા આદિ અવયવોને ઊલટા ક્રમમાં સાંભળ્યા પછી પ્રતિપત્તા સૌપ્રથમ તેના સાચા ક્રમનું સ્મરણ કરે છે અને પછી સ્મૃત સાચા ક્રમવાળા અવયવોના અનુમાનવાક્યમાંથી અર્થનું જ્ઞાન કરે છે, વિપરીત ક્રમ ધરાવતા અવયવોવાળા અનુમાનવાક્યમાંથી અર્થનું જ્ઞાન કરતો નથી. ‘અપ્રાપ્તકાલ’નો પ્રતિષેધ કરનાર કહે છે. - આમ કહેવું પણ સારહીન છે, કેમ કે આ જાતનો અનુભવ નથી. જે શબ્દના ઉચ્ચારણથી જે અર્થની પ્રતીતિ થાય તે શબ્દ જ તે અર્થનો વાચક મનાય છે, બીજો શબ્દ નહિ. જો આમ ન માનીએ તો આમ પણ કહી શકાય કે શુદ્ધ શબ્દને સાંભળ્યા પછી અશુદ્ધ શબ્દનું સ્મરણ થાય છે અને અવયવોના અનુક્રમને સાંભળ્યા પછી તેમના ઊલટા ક્રમનું સ્મરણ થાય છે અને ત્યારે અર્થની પ્રતીતિ થાય છે. ૨૮૧ ‘અપ્રાપ્તકાલ’ના પક્ષકારની શંકા — પરંતુ આમ કહીએ તો {વ્યાકરણના ગ્રંથોમાં કરવામાં આવતું] શુદ્ધ શબ્દાનુસારી વ્યાખ્યાન વ્યર્થ બની જાય. ‘અપ્રાપ્તકાલ’નો પ્રતિષેધ કરનાર કહે છે -ના, [અમે વ્યાકરણના ગ્રંથોને ઉતારી પાડવા નથી માગતા]. અમે તો એટલું જ સ્થાપવા માગીએ છીએ કે રૂઢ અનુક્રમના પક્ષકારનો મત અનિષ્ટ આપત્તિઓ તરફ લઈ જાય છે. વળી, [પ્રાકૃત વ્યાકરણના ગ્રંથોમાં] અપશબ્દોનું પણ અન્વાખ્યાન છે [અને અપશબ્દો પણ ચોક્કસ નિયમોને અનુસરે છે. એટલે સંસ્કૃત શબ્દો શ્રેષ્ઠ છે કે પ્રાકૃત (અપશબ્દ) એ નક્કી કરી શકાય તેમ નથી.] જો કહેવામાં આવે કે સાચા સંસ્કૃત શબ્દના ઉચ્ચારણથી ધર્મ થાય છે અને અન્ય શબ્દોના ઉચ્ચારણથી અધર્મ થાય છે એવો નિયમ છે તો ધર્મ-અધર્મના અન્ય ઉપાયોના અનુષ્ઠાનના બધા નિયમો વ્યર્થ બની જશે, ઉપરાંત ધર્મ અને અધર્મનો આવશ્યક વિવેક અશક્ય બની જશે કારણ કે સંસ્કૃત-અપશબ્દ(પ્રાકૃત) બન્ને પ્રકારના શબ્દોનો પ્રયોગ ધાર્મિક પુરુષો પણ કરે છે અને અધાર્મિક પુરુષો પણ કરે છે એ આપણે દેખીએ છીએ. અથવા, પ્રતિજ્ઞા આદિ અવયવોના ક્રમના કારણે અર્થની પ્રતીતિ થાય છે એમ માની લઈએ તો પણ જે ક્રમથી અર્થની પ્રતીતિ થતી હોય તે ક્રમનો ભંગ કરનારું વાક્ય ‘નિરર્થક’ નિગ્રહસ્થાન ગણાય, ‘અપ્રાપ્તકાલ’ નિગ્રહસ્થાન નહિ. ― Jain Education International 91. पञ्चावयवे वाक्ये प्रयोक्तव्ये तदन्यतमेनाप्यवयवेन हीनं न्यूनं नाम निग्रहस्थानं भवति, साधनाभावे साध्यसिद्धेरभावात्, प्रतिज्ञादीनां च For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy