SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા રજૂ કરેલા ગૂઢ સાધનવાક્યની વ્યાખ્યા પણ વાદી પોતે જ કરી દેશે. જો તે તેની વ્યાખ્યા નહિ કરે તો તેને વિજય પ્રાપ્ત નહિ થાય પરંતુ તે નિગૃહીત નહિ થાય કેમ કે પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થઈ નથી. ઝડપથી ઉચ્ચારણનો ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી કેમ કે ઝડપથી ઉચ્ચારણ કરવા છતાં પરિષદ અને પ્રતિવાદીને કથંચિત્ જ્ઞાન તો થાય છે જ, તેનું કારણ એ છે કે અંતે તો સભાપતિ સહિત પરિષદના સભ્યો વાદી-પ્રતિવાદી બન્નેના સિદ્ધાન્તોના જાણકાર હોય છે. વાદી જો સાધ્ય સાધવા માટે અનુપયોગી પ્રલાપમાત્ર કરે અને પરિષદ તથા પ્રતિવાદીને તેની સમજ ન પડે તો તે વર્ણાનુપૂર્વીના ઉચ્ચારણ સમાન ‘નિરર્થક’ જ થયું. તેને પૃથક્ ‘અવિજ્ઞાતાર્થ’ ન કહી શકાય. તેથી આ ‘અવિજ્ઞાતાર્થ’ નિગ્રહસ્થાન ‘નિરર્થક' નિગ્રહસ્થાનથી ભિન્ન નથી. 88. पूर्वापरासङ्गतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थमपार्थकं नाम निग्रहस्थानं भवति । यथा दश दाडिमानि षडपूपा इत्यादि । एतदपि निरर्थकान्न भिद्यते । यथैव हि गजडदबादौ वर्णानां नैरर्थक्यं तथात्र पदानामिति । यदि पुनः पदनैरर्थक्यं वर्णनैरर्थक्यादन्यत्वान्निग्रहस्थानान्तरं तर्हि वाक्यनैरर्थक्यस्याप्याभ्यामन्यत्वान्निग्रहस्थानान्तरत्वं स्यात् पदवत्पौर्वापर्येणाऽप्रयुज्यमानानां वाक्यानामप्यनेकधोपलभ्यात् "शङ्खः कदल्यां कदली च भेर्यां तस्यां च भेर्यां सुमहद्विमानम् । तच्छङ्घभेरीकदलीविमानमुन्मत्तगङ्गप्रतिमं बभूव ॥ " इत्यादिवत् । www 88. (૯) અપાર્થક — પૂર્વાપર અસંગત પદોના સમૂહનો પ્રયોગ કરવાથી વાક્યનો અર્થ સિદ્ધ ન થવો એ ‘અપાર્થક’ નિગ્રહસ્થાન છે. ઉદાહરણ દસ દાડમ, છ અરૂપ ઇત્યાદિ. આ નિગ્રહસ્થાન પણ ‘નિરર્થક' નિગ્રહસ્થાનથી ભિન્ન નથી. જેમ ‘નિરર્થક‘ નિગ્રહસ્થાનમાં ગજડદબ આદિ વર્ણો નિરર્થક છે તેમ અહીં પદો નિરર્થક છે. જો કહેવામાં આવે કે વર્ષોની નિરર્થકતાથી પદોની નિરર્થકતા ભિન્ન છે, તેથી જ આ ‘અપાર્થક’ નિર્ગહસ્થાન ‘નિરર્થક' નિગ્રહસ્થાનથી ભિન્ન છે, તો વાક્યોની નિરર્થકતા વર્ણોની અને પદોની નિરર્થકતાથી ભિન્ન હોવાના કારણે એક અલગ નિગ્રહસ્થાન માનવું પડશે કારણ કે પૂર્વાપ૨ ક્રમથી પ્રયુક્ત ન થનારા નિરર્થક વાક્યો પણ અનેક જાતનાં જોવા મળે છે જેમ કે ‘કદલીમાં શંખ છે, ભેરીમાં કદલી છે, તે ભેરીમાં બહુ માટું વિમાન છે, તે શંખ, ભે૨ી, કદલી અને વિમાન ઉન્મત્ત ગંગા સમાન બની ગયા છે.’ ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy