SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા સ્થાપિત થયેલો સિદ્ધ થયેલો દેખાયો છે તે દષ્ટાન્ત અર્થાતુ પક્ષ (પ્રતિજ્ઞા).] સ્વદષ્ટાન્ત એટલે સ્વપક્ષ. પ્રતિદષ્ટાન્ત એટલે પ્રતિપક્ષ. પ્રતિપક્ષના ધર્મને સ્વપક્ષમાં સ્વીકારતો વાદી પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે–જો ઇન્દ્રિયગ્રાહ્ય સામાન્ય નિત્ય છે તો ભલે શબ્દ પણ એવો અર્થાત્ નિત્ય હો.' (ન્યાયવાર્તિક, ૫.૨.૨.]. વાર્તિકકાર ઉદ્યોતકારનું આ વ્યાખ્યાન પણ સંગત નથી, કારણ કે પ્રતિજ્ઞાાનિ આ રીતે જ થાય છે એવું અવધારણ કરવું શક્ય નથી. પ્રતિપક્ષના ધર્મને સ્વપક્ષમાં સ્વીકારનારો જ પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે એવું તો છે નહિ જેથી કહી શકાય કે પ્રતિજ્ઞાહાનિનો આ જ એક પ્રકાર છે, [બીજો કોઈ પ્રકાર છે જ નહિ. પ્રતિજ્ઞા હાનિના બીજા પ્રકારો પણ સંભવે છે જ. બીજી રીતોથી પણ પ્રતિજ્ઞા હાનિ થાય છે જ. ઉદાહરણાર્થ,] આક્ષેપ વગેરેના કારણે વ્યાકુળ બની જવાથી, પ્રકૃતિથી સભાભીરુ હોવાથી, અન્યમનસ્ક થઈ જવાથી, યા બીજા કોઈ નિમિત્તથી કોઈ ધર્મને સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીને તેનાથી વિપરીત ધર્મને સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરતો કોઈ કોઈ પુરુષ આપણને મળી આવે છે. પુરુષોને બ્રાન્તિ થવાનું એક કારણ નથી હોતું અનેક કારણોથી ભ્રાન્તિ થવી ઘટે છે. 81. પ્રતિજ્ઞાતાર્થપ્રતિષેધે પરે તે તવૈવ ધર્મળ ધર્માન્તરં સધનીયમभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द: ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येन व्यभिचारे नोदिते यदि ब्रूयात्-युक्तं सामान्यमैन्द्रियकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति । सोऽयम् 'अनित्यः शब्दः' इति पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरम् 'असर्वगतः शब्दः' इति कुर्वन् प्रतिज्ञान्तरेण निगृहीतो भवति । एतदपि प्रतिज्ञाहानिवन्न युक्तम्, तस्याप्यनेकनिमित्तत्वोपपत्तेः । प्रतिज्ञाहानितश्चास्य कथं भेदः, पक्षत्यागस्योभयत्राविशेषात् ? । यथैव हि प्रतिदृष्टान्तधर्मस्य स्वदृष्टान्तेऽभ्यनुज्ञानात् पक्षत्यागस्तथा प्रतिज्ञान्तरादपि । यथा च स्वपक्षसिद्ध्यर्थं प्रतिज्ञान्तरं विधीयते तथा शब्दानित्यत्वसिद्ध्यर्थं भ्रान्तिवशात् 'तद्वच्छब्दोऽपि नित्योऽस्तु' इत्यनुज्ञानम्, यथा चाभ्रान्तस्येदं विरुद्ध्यते तथा प्रतिज्ञान्तरमपि । निमित्तभेदाच्च तद्भेदे अनिष्टनिग्रहस्थानान्तराणामप्यनुषङ्गः स्यात् । तेषां च तत्रान्तर्भावे प्रतिज्ञान्तरस्यापि प्रतिज्ञाहानावन्तर्भावः स्यादिति २ । 81. (૨) પ્રતિજ્ઞાન્તર – પ્રતિજ્ઞાત અર્થનો પ્રતિવાદી દ્વારા પ્રતિષેધ કરવામાં આવતાં જો વાદી તે જ પક્ષમાં બીજા ધર્મને સાધનીય જણાવે તો તેને પ્રતિજ્ઞાન્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy