SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૨૪૯ વૈધર્મેદાન્ત પાષાણખંડમાં બન્નેનો અભાવ હોય છે. અર્થાત “જે વક્તા હોય છે તે રાગાદિમાનું હોય છે, જેમ કે સંસારી આત્મા (સાધમ્મદષ્ટાન્ત)', અને જે રાગાદિમાન નથી હોતા તે વક્તા પણ નથી હોતા, જેમ કે પાષાણખંડ (વધર્મેદષ્ટાન્ત). આમ સાધ્ય અને સાધન સાથે સાથે અને સાધ્યાભાવ અને સાધનાભાવ પણ સાથે સાથે હોવા છતાં સાધ્ય અને સાધન વચ્ચે અન્વય અને વ્યતિરેકનો વાસ્તવમાં અભાવ છે કારણ કે સાધ્ય સાથે સાધનનો અવિનાભાવસંબંધ નથી. પરિણામે કોઈ આત્મામાં વસ્તૃત્વ હોવા છતાં રાગાદિનો અભાવ હોય છે.] તેથી વચન હેતુનો રાગાદિ સાધ્ય સાથે અવિનાભાવ ન હોવાથી અનન્વય અને અવ્યતિરેક દોષો આવે છે. તો પછી આપે અનન્વયદષ્ટાન્નાભાસ અને અવ્યતિરેકદૃષ્ટાન્નાભાસને કેમ અહીં ગણાવ્યા નથી? સમાધાન – પૂર્વોક્ત ભેદો આ બેથી જુદા નથી. એટલે તે બધા અનન્વય અને અવ્યતિરેકરૂપ જ છે. તેથી આ બે ભેદોને જુદા જણાવવાની જરૂરત નથી.] એટલે સાધર્મદષ્ટાન્તાભાસ (અનન્વયદષ્ટાન્તાભાસ) અને વૈધર્મેદષ્ટાન્તાભાસ (અવ્યતિરેકદૃષ્ટાન્નાભાસ) એ બેમાંથી પ્રત્યેકના આઠ આઠ ભેદો થાય છે. કહ્યું પણ છે, “સાધનના અનન્વય આઠ છે અને અવ્યતિરેક પણ આપ્યું છે. આ આઠ આઠ દૃષ્ટાન્તાભાસો સાધનના અન્યથાઅનુપપન્નત્વના અભાવને (અર્થાત્ સાધનના અવિનાભાવના અભાવને) જ એક રીતે તો જણાવે છે.” (૨૭) 60. નવસિતં પાથનુમાનમહાન તન્નીન્તરીય દૂષvi નક્ષયતિ– સાધનોપોદ્ધાવન ટૂષણમ્ શારદા 60. પરાર્થનુમાન[નિરૂપણ] સમાપ્ત થયું. હવે તેની સાથે સંબંધ રાખતા દૂષણનું લક્ષણ આચાર્ય આપે છે– સાધનના દોષોને પ્રગટ કરવા તે દૂષણ છે. (૨૮) 61. “સાધની' પરથનમાનસ્ય ચે સિદ્ધિવિરુદ્ધાયો “તોષાઃ' पूर्वमुक्तास्तेषामुद्भाव्यते प्रकाश्यतेऽनेनेति 'उद्भावनम्' साधनदोषोद्भावकं वचनं 'दूषणम्' । उत्तरत्राभूतग्रहणादिह भूतदोषोद्भावना दूषणेति सिद्धम् ॥२८॥ 61 સાધનના અર્થાત્ પરાથનુમાનના જે અસિદ્ધ, વિરુદ્ધ વગેરે દોષો પહેલાં દર્શાવ્યા છે તેમને પ્રગટ કરનારું વચન દૂષણ છે. પછીના (૨૯મા) સૂત્રમાં “અભૂત' (અર્થાત્ અવિદ્યમાન) પદ મૂક્યું હોઈ અહીં ભૂત (વિદ્યમાન) દોષોને પ્રગટ કરવા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy