SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અને વ્યતિરેકની સિદ્ધિ થતી નથી. તાત્પર્ય આ છે. “પટ અનિત્ય છે કારણ કે તે કુતક છે, ઘટની જેમ” અહીં ઘટ દષ્ટાન્ત અપ્રદર્શિતાન્વયદષ્ટાન્નાભાસ છે કારણ કે અન્વય દષ્ટાન્ત પૂર્વે અન્વયવ્યાપ્તિ કહેવામાં આવી નથી. “જે જે કૃતક હોય તે અનિત્ય હોય” આ અન્વયવ્યાપ્તિ કહેવી જોઈએ. “પરમાણુ અનિત્ય નથી કારણ કે તે કૃતક નથી, આકાશની જેમ અહીં આકાશ દષ્ટાન્ત અપ્રદર્શિતવ્યતિરેકદૃષ્ટાન્તાભાસ છે ક્ષરણ કે વ્યતિરેક દષ્ટાન્ત પૂર્વેવ્યતિરેકવ્યાપ્તિ કહેવામાં નથી આવી. “જે અનિત્ય નથી હોતું તે કૃતક નથી હોતું આ વ્યતિરેકવ્યાપ્તિ કહેવી જોઈએ.] બધા મળીને સાધર્મેદાન્તાભાસ અને વૈધર્મેદષ્ટાન્નાભાસના આઠ-આઠ ભેદ થયા. - સાધર્મેદષ્ટાન્નાભાસના આઠ ભેદો– (૧) સાધ્યવિલ, (૨) સાધનવિકલ. (૩) સાધ્યસાધનોભયવિકલ, (૪) સંદિગ્ધસાધ્યાન્વય, (૫) સંદિગ્ધસાધનાન્વય, (૬) સંદિગ્ધસાધ્યસાધનોભયાન્વય, (૭) વિપરીતાન્વય અને (૮) અપ્રદર્શિતાવ્ય. વૈધર્મદષ્ટાન્તાભાસના આઠ ભેદો – (૧) સાધ્યાવ્યતિરેક (અપર નામ સાધ્યાવ્યાવૃત્ત), (૨) સાધનાવ્યતિરેક, (૩) સાધ્યસાધનોભાવ્યતિરેક, (૪) સંદિગ્ધસાધ્યતિરેક, (૫) સંદિગ્ધસાધનવ્યતિરેક, (૬) સંદિગ્ધસાધ્યસાધનોભયવ્યતિરેક, (૭) વિપરીતથતિરેક અને (૮) અપ્રદર્શિતવ્યતિરેક. 59. नन्वनन्वयाव्यतिरेकावपि कैश्चिद् दृष्टान्ताभासावुक्तौ, यथा रागदिमानयं वचनात् । अत्र साधर्म्यदृष्टान्ते आत्मनि रागवचनयोः सत्यपि साहित्ये, वैधर्म्यदृष्टान्ते चोपलखण्डे सत्यामपि सह निवृत्तौ प्रतिबन्धाभावेनान्वयव्यतिरेकयोरभाव इत्यनन्वयाव्यतिरेको । तौ कस्मादिह नोक्तौ ? । उच्यते-ताभ्यां पूर्वे न भिद्यन्त इति साधर्म्यवैधाभ्यां प्रत्येकमष्टावेव दृष्टान्ताभासा भवन्ति । यदाहुः "लिङ्गस्यानन्वया अष्टावष्टावव्यतिरेकिणः ।। नान्यथानुपपन्नत्वं कथंचित् ख्यापयन्त्यमी ॥" इति ॥२७॥ 59. શંકા – કેટલાક આચાર્યોએ અનન્વયદેષ્ટાન્તાભાસ અને અવ્યતિરેકદષ્ટાન્તાભાસ પણ કહ્યા છે. ઉદાહરણાર્થ, “આ પુરુષ રાગાદિમાન છે કારણ કે તે વક્તા છે.” અહીં સાધર્મેદષ્ટાન્ત આત્મામાં રાગ અને વચન બન્ને સાથે હોય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy