________________
૧૪૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તો પ્રશ્ન એ ખડો થાય કે તે એકાન્ત નિત્ય અર્થ બીજી ક્ષણે શું કરશે? જો તે બીજી ક્ષણે પણ કાર્ય ઉત્પન્ન કરે છે તેમ માનશો તો એનો અર્થ એ થાય કે તે પહેલી ક્ષણે જ બધાં કાર્યોને ઉત્પન્ન કરે છે એ પક્ષ રહેશે જ નહિ અને તે ક્રમથી કાર્યોને ઉત્પન્ન કરે છે તે પક્ષ આવી પડશે અને તત્પક્ષગત બધા જ દોષો પણ આવી પડશે. જો તે એકાન્ત નિત્ય અર્થ બીજી ક્ષણે કોઈ કાર્ય ઉત્પન્ન નથી કરતો એમ માનવામાં આવે તો તે અર્થક્રિયાકારી જ નહિ રહે અને પરિણામે તે અવસ્તુ (અસત) બની જવાની આપત્તિ આવશે.
આમ એકાન્ત નિત્ય અર્થ દ્વારા ક્રમથી કે અક્રમથી કાર્યોત્પત્તિ ઘટતી નથી. ક્રમઅક્રમ વ્યાપક છે અને અર્થક્રિયા(કાર્યોત્પાદન) વ્યાપ્ય છે. વ્યાપકનો અભાવ હોતાં વ્યાપ્યનો પણ અભાવ હોય છે, અર્થાત્ ક્રમ-અક્રમના અભાવમાં અર્થક્રિયા ઘટતી નથી અને અર્થક્રિયા ન ઘટવાના કારણે સતપણું પણ તેમાં (એકાન્ત નિત્ય અર્થમાં) ઘટતું નથી, કારણ કે સતપણાનું વ્યાપક અર્થક્રિયાકારિત્વ છે, તેથી જ્યાં અર્થક્રિયાકારિત્વ નથી ત્યાં સારું પણ નથી.
126. પર્યાન્તરૂપોfપ પ્રતિક્ષવિનાશી માવો ન મર્થक्रियासमर्थो देशकृतस्य कालकृतस्य च क्रमस्यैवाभावात् । अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिर्देशक्रमः कालक्रमश्चाभिधीयते । न चैकान्तविनाशिनि સારસ્તા થવાઃ –
"यो यत्रैव स तत्रैव यो यदैव तदैव सः ।
ર સેશવાયોવ્યમિવાનામિદ વિદ્યારે છે” 126. એકાન્ત ક્ષણિક પર્યાયરૂપ અર્થ પણ ક્રમથી પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ નથી કારણ કે તેની બાબતમાં દેશકૃત કે કાલકૃત ક્રમ જ સંભવતો નથી. સ્થિર રહેનારા અર્થનું અનેક ક્રમિક પ્રદેશોમાં (space-pointsમાં) હોવું અને અનેક ક્રમિક કાલક્ષણોમાં હોવું એ દશક્રમ અને કાલક્રમ કહેવાય છે. એકાન્ત ક્ષણિક અર્થમાં અનેક પ્રદેશોમાં હોવાપણું અને અનેક કાલક્ષણોમાં હોવાપણું (અર્થાત્ દેશવ્યાપ્તિ અને કાલવ્યાપ્તિ) અસંભવ છે. કહ્યું પણ છે. “અર્થ જે પ્રદેશમાં ઉત્પન્ન થાય છે ત્યાં જ તેનું અસ્તિત્વ છે અને જે કાલક્ષણે ઉત્પન્ન થાય છે તે ક્ષણે જ તેનું અસ્તિત્વ છે. ક્ષણિક અર્થોની બાબતમાં દેશવ્યામિ પણ હોતી નથી અને કાલવ્યાપ્તિ પણ હોતી નથી”
127.7 સત્તાનાપેક્ષા પૂર્વોત્તરક્ષાનાં : સદ્ભવતિ, સનાનાवस्तुत्वात् । वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चिद्विशेषः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org