SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ઉત્પત્તિ માટે યોગ્ય સહકારિ કારણ તેને જ્યારે મળે છે ત્યારે જ તે તે તે કાર્યને ઉત્પન્ન કરે હેમચન્દ્રાચાર્ય–જો તે પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવા બીજાની (સહકારિકરણોની) અપેક્ષા રાખતો હોય તો તે તે કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ છે એમ ન કહેવાય. શું તમે સાંભળ્યું નથી કે “જે બીજાની અપેક્ષા રાખે છે તે સ્વયં અસમર્થ છે' [પાતંજલ મહાભાષ્ય ૩.૧.૮.] એકાન્ત નિત્યત્વવાદી – એકાન્ત નિત્ય અર્થ પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવા સહકારિકરણોની અપેક્ષા નથી રાખતો પરંતુ સહકારિકરણોના અભાવમાં ઉત્પન્ન ન થનારાં પેલાં કાર્યો જ સહકારિતારણોની અપેક્ષા રાખે છે. હેમચન્દ્રાચાર્ય–તો શું એકાન્ત નિત્ય અર્થ તે કાર્યો ઉત્પન્ન કરવા અસમર્થ છે? જો તે પોતે તે કાર્યોને ઉત્પન્ન કરવા સમર્થ હોય તો સહકારિકારણોની રાહ જોઈને દીન બની ગયેલાં તે કાર્યોની ઉપેક્ષા તે શા માટે કરે છે, ઝટ તેમને ઉત્પન્ન કેમ નથી કરતો? એકાન્તનિત્યવાદી–બીજ અંકુરને ઉત્પન્ન કરવા સમર્થ હોવા છતાં પણ માટી, પાણી વગેરે સહકારિકરણો સહિત જ બીજ અંકુરને ઉત્પન્ન કરે છે, એકલું નહિ. એ જ રીતે એકાન્ત નિત્ય અર્થ પણ પોતાનાં કાર્યોની ઉત્પત્તિમાં સમર્થ હોવા છતાં પણ સહકારિકરણોના સાથમાં જ તે કાર્યોને ઉત્પન્ન કરે છે. હેમચન્દ્રાચાર્ય – જો એવું છે તો સહકારિતારણ તે એકાન્ત નિત્ય અર્થને કંઈ ઉપકાર કરે છે (ઉપકારરૂપ વિશેષતા તેનામાં ઉત્પન્ન કરે છે) કે નહિ? જો ના, તો પછી તે નિત્ય અર્થ પહેલાંની જેમ કાર્યોત્પત્તિમાં ઉદાસીન કેમ નથી રહેતો ? જો સહકારિતારણો તે એકાન્ત નિત્ય અર્થને ઉપકાર કરે છે (અર્થાત તે એકાન્ત નિત્યરૂપ વસ્તુમાં ઉપકારરૂપ વિશેષતા ઉત્પન્ન કરે છે) એ પક્ષ સ્વીકારવામાં આવે તો પછી બે વિકલ્પો ખડા થાય – શું તે ઉપકારરૂપ વિશેષતા એકાન્ત નિત્ય અર્થથી ભિન્ન છે કે અભિન્ન? આનો જવાબ આપવો જોઈએ. જો ઉપકારરૂપ વિશેષતાને એકાન્ત નિત્ય અર્થથી અભિન્ન માનવામાં આવે તો સહકારિકારણોએ તે એકાન્ત નિત્ય અર્થને જન્મ ઉત્પન્ન કર્યો ગણાય, અને આમ એકાન્ત નિત્ય અર્થની એકાત્ત નિત્યતાને જ ક્ષતિ પહોંચે, પરિણામે એકાન્ત નિત્યત્વવાદીની સ્થિતિ તો પેલા લાભ(વ્યાજ) મેળવવાની ઇચ્છા ધરાવતા જેણે મૂળ મૂડી પણ ગુમાવી દીધી તે માણસ જેવી થઈ જાય. જો ઉપકારરૂપ વિશેષતાને એકાન્ત નિત્ય અર્થથી ભિન્ન માનવામાં આવે તો તે ઉપકારરૂપ વિશેષતા તેની કેવી રીતે કહેવાય? તે ઉપકારરૂપ વિશેષતા સહ્યાદ્રિ કે વિધ્યાચલની કેમ ન કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy