SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૧૪૩ ભેદ છે. આમ ન્યાય-વૈશેષિકો સામાન્ય (દ્રવ્ય) અને વિશેષ (પર્યાય) બન્નેને સ્વીકારે તો છે પરંતુ તેમનો પરસ્પર આત્યંતિક ભેદ માને છે, એટલું જ નહિ પણ વસ્તુથી પણ તેમનો આત્યંતિક ભેદ માને છે. એટલે તેમનો મત મિથ્યા છે.] શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું પણ છે, “જો કે કણાદે પોતાના શાસ્ત્રમાં બન્ને નયનો (દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય બનો) સ્વીકારતો કર્યો છે છતાં મિથ્યાત્વ છે કારણ કે સ્વવિષયના ગ્રહણમાં તે બન્ને નયોની પ્રધાનતા (ખરેખર તો એ કાન્તિકતા) હોવાથી તે બન્ને નો એકબીજાથી સાવ નિરપેક્ષ રહે છે[બરણ કે તેમના વિષયો એકાન્તપણે ભિન્નમનાયાછે.” [સન્મતિ, ૩.૪૯].(૩૦) 120. कुतः पुनर्द्रव्यपर्यायात्मकमेव वस्तु प्रमाणानां विषयो न द्रव्यमानं पर्यायमात्रमुभयं वा स्वतन्त्रम् ? इत्याह અર્થવિસામથ્થત્ રૂશે 120. દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ જ પ્રમાણનો વિષય શા માટે છે? એકાન્ત દ્રવ્ય, એકાન્ત પર્યાય કે એકબીજાની તદ્દન ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય અને પર્યાય પ્રમાણનો વિષય શા માટે નથી ? આના ઉત્તરમાં આચાર્ય કહે છે કારણ કે તેનામાં અર્થક્રિયાનું સામર્થ્ય છે. (૩૧) 121. “અર્થ' ટાંનો પાવાનાલિતક્ષાચ “ક્રિયા' નિષ્પત્તિસ્તત્ર 'सामर्थ्यात्', द्रव्यपर्यायात्मकस्यैव वस्तुनोऽर्थक्रियासमर्थत्वादित्यर्थः ॥३१॥ 121, ‘અર્થથી અભિપ્રેત છે હાન, ઉપાદાન આદિ લક્ષણવાળો અર્થ. તેની ક્રિયા એટલે નિષ્પત્તિ. તેમાં સામર્થ્ય હોવાથી. દ્રવ્ય-પર્યાયત્મક વસ્તુ જ અર્થક્રિયામાં સમર્થ હોવાથી દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ જ પ્રમાણનો વિષય છે. [અર્થનો અર્થ કોઈપણ કાર્ય પણ લઈ શકાય. જે વસ્તુ કાર્યને ઉત્પન્ન કરે તે અર્થક્રિયાસમર્થ ગણાય. અર્થક્રિયાકારી એટલે કાર્યકારી.] (૩૧). 122. યરિ નામૈવં તતઃ નિમિત્યદિ તક્ષત્રિાસ્તુન: રૂર 122. જો દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ જ અર્થક્રિયામાં સમર્થ હોય તો પણ તેથી શું? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય કહે છે – કારણ કે તે જ (=અર્થક્રિયાસામર્થ્ય જ) વસ્તુનું લક્ષણ છે. (૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy