SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પરંતુ જેવું તે વર્તમાનમાં દેખાતાને પૂર્વદષ્ટ સાથે એક કરે છે કે તરત જ તે રડતું છાનું રહી જાય છે. નિશ્ચય, કલ્પના કે વિકલ્પનો સ્વભાવ તો વર્તમાન અનુભવને પૂર્વાનુભવ સાથે એક કરવાનો છે અને શબ્દસંસર્ગ તો કેવળ તેને સૂચવતું ચિહ્ન છે જે હોય પણ ખરું અને ન પણ હોય. એટલે જેઓ માને છે કે બાળકને નિશ્ચયાત્મક જ્ઞાન હોતું નથી તે બરાબર નથી. શબ્દસંસર્ગરહિત જ્ઞાન હોય તે અનિશ્ચયાત્મક જ હોય, નિર્વિકલ્પક જ હોય અને નિર્વિચાર જ હોય એ માન્યતા બરાબર નથી. હકીકતમાં શબ્દસંસર્ગયોગ્યતારહિત જ્ઞાન જ અનિશ્ચયાત્મક હોય, નિર્વિકલ્પક હોય, નિર્વિચાર હોય. નિષ્કર્ષ એ કે બધાં જ નિશ્ચયાત્મક યા સવિકલ્પક યા સવિચાર જ્ઞાનોનું સત્ત્વ, સારતત્ત્વ, સ્વરૂપ યા વૈલક્ષણ્ય કલ્પના યા શબ્દસંસર્ગયોગ્યતા યા પૂર્વાપરપરામર્શ છે. અર્થાત જ જે જ્ઞાનમાં કલ્પના યા શબ્દસસિંÁયોગ્યતા યા પૂર્વાપરપરામર્શ ન હોય તે જ્ઞાન નિર્વિકલ્પ યા નિર્વિચાર યા અનધ્યવસાયરૂપ જ હોય. આમ એ સ્પષ્ટ છે કે બૌદ્ધ પ્રત્યક્ષ નિર્વિકલ્પ છે, વિચારશૂન્ય છે, અનધ્યવસાયરૂપ છે.] બૌદ્ધસમ્મત પ્રત્યક્ષ નિર્વિકલ્પ યા અનધ્યવસાયરૂપ હોઈ વ્યવહારમાં ઉપયોગી નથી, તે પ્રમાતાને પ્રવૃત્ત કરતું નથી. તેથી તેની બાબતમાં પ્રમાણનું બૌદ્ધોએ આપેલું લક્ષણ ઘટતું નથી. બિૌદ્ધ મતે જે જ્ઞાન અવિસંવાદી હોય તે પ્રમાણ છે. પ્રમાતાને જલનું ચાક્ષુષ જ્ઞાન થાય છે, પ્રમાતા પોતાની તૃષા શમાવવા તે દષ્ટ જલને મેળવવા પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત અર્થથી તે તૃષાશમન કરે છે, માટે તે પ્રમાણ છે પરંતુ જો પ્રાપ્ત અર્થથી તૃષાશમન શક્ય ન હોય તો તે જ્ઞાન અપ્રમાણ છે. સંક્ષેપમાં, જે જ્ઞાન પ્રવૃત્તિ સાથે અવિસંવાદી છે અર્થાત જે જ્ઞાન સફળ પ્રવૃત્તિનું જનક છે તે જ્ઞાન પ્રમાણ છે. નિર્વિકલ્પ યા અનધ્યવસાયરૂપ જ્ઞાન તો પ્રમાતાની પ્રવૃત્તિનું જનક જ બનવા સમર્થ નથી તો પછી તેના સફળ પ્રવૃત્તિના જનક હોવાની વાત જ શી ! એટલે તે પ્રમાણ નથી જ. આમ બૌદ્ધો જેને પ્રત્યક્ષ પ્રમાણ તરીકે સ્વીકારે છે તે પ્રમાણ જ નથી.] પ્રત્યક્ષ જ્ઞાન પછી અર્થનો નિશ્ચય કરીને તે અર્થને યોગ્ય અર્થક્રિયાના (તુષાશમન, દાહશમન, ઇત્યાદિ રૂપ અર્થક્રિયાના) ઇચ્છુક પ્રમાતાઓ તે અર્થક્રિયા માટે સમર્થ તે અર્થને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે, આવી પ્રવૃત્તિ કરતા તે પ્રમાતાઓ વિસંવાદને (નિષ્ફળતાને) ન પામે એટલા માટે બુદ્ધિમાન પરીક્ષકો પ્રમાણનાં લક્ષણોની પરીક્ષા કરે છે. વ્યવહારોનુપયોગી બૌદ્ધસમ્મત પ્રત્યક્ષના લક્ષણની પરીક્ષા કરવાનો પરિશ્રમ એ તો કાગડાના દાંતની પરીક્ષા કરવાના પરિશ્રમ જેવો નિરર્થક છે. ઉપરના આક્ષેપથી બચવા બૌદ્ધ એવું સ્વીકાર્યું છે કે નિર્વિકલ્પક ઍન્દ્રિયક જ્ઞાન પછી તરત ઉત્પન્ન થનારા સવિકલ્પક જ્ઞાનથી વ્યવહાર ઘટે છે. [બૌદ્ધ તાર્કિક કહે છે કે જે નિર્વિકલ્પક ઐન્દ્રિયક જ્ઞાન પોતાના પછી તરત સફળ પ્રવૃત્તિના જનક (અર્થાત્ અવિસંવાદી) સવિકલ્પક જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.] આવું માનવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy