SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ હેમચન્દ્રાચાર્યકૃતિ પ્રમાણમીમાંસા 70, વિષયભેદ – અવધિજ્ઞાનનો વિષય બધાં રૂપી દ્રવ્યો છે પણ તેમના બધા . પર્યાયો નથી. મન:પર્યાય જ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયનો અનન્તમો ભાગ છે. મુખ્ય પ્રત્યક્ષનું નિરૂપણ સમાપ્ત થયું. (૧૯), 71. નથ સાંવ્યવહારમા– इन्द्रियमनोनिमित्तोऽवग्रहेहावायधारणात्मा सांव्यवहारिकम् ॥२०॥ 71. હવે આચાર્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ કહે છે– ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થનારું તથા અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના સ્વરૂપવાળું સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. (૨૦) 72. इन्द्रियाणि स्पर्शनादीनि वक्ष्यमाणलक्षणानि, मनश्च निमित्तं कारणं यस्य स तथा । सामान्यलक्षणानुवृत्तेः सम्यगर्थनिर्णयस्येदं विशेषणं तेन 'इन्द्रियमनोनिमित्तः' सम्यगर्थनिर्णयः । कारणमुक्त्वा स्वरूपमाह-'अवग्रहेहावायधारणात्मा' । अवग्रहादयो वक्ष्यमाणलक्षणाः त आत्मा यस्य सोऽवग्रहेहावायधारणात्मा। 'आत्म'ग्रहणं च क्रमेणोत्पद्यमानानामप्यवग्रहादीनां नात्यन्तिको भेदः किन्तु पूर्वपूर्वस्योत्तरोत्तररूपतया परिणामादेकात्मकत्वमिति प्रदर्शनार्थम् । समीचीनः प्रवृत्तिनिवृत्तिरूपो व्यवहारः संव्यवहारस्तत्प्रयोजनं 'सांव्यवहारिकम्' प्रत्यक्षम् । इन्द्रियमनोनिमित्तत्वं च समस्तं व्यस्तं च बोद्धव्यम् । इन्द्रियप्राधान्यात् मनोबलाधानाच्चोत्पद्यमान इन्द्रियजः । मनस एव विशुद्धिसव्यपेक्षादुपजायमानो मनोनिमित्त इति । 72. જેમનાં લક્ષણો હવે પછી આપવાના છે તે સ્પર્શ વગેરે ઇન્દ્રિયો અને મન જેની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે તે “ઇન્દ્રિયમનોનિમિત્ત' છે. પ્રમાણસામાન્યના લક્ષણની અનુવૃત્તિ હોવાથી આ વિશેષણ “સમ્યગર્ભનિર્ણય'નું સમજવું જોઈએ. તેથી અર્થ થશે – જે સમ્યગર્ભનિર્ણય ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. આ થયું સાંવ્યવહારિક પ્રત્યક્ષના નિમિત્તકારણનું નિરૂપણ. તે પછી તેનું સ્વરૂપ જણાવ્યું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના સ્વરૂપવાળું છે. જેમનું લક્ષણ આચાર્ય હવે પછી કહેવાના છે તે અવગ્રહ આદિ જેનું સ્વરૂપ (આત્મા) છે તે “અવગ્રહેઠાવાયધારણાત્મા છે. સૂત્રમાં “આત્મા' શબ્દનો પ્રયોગ એ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે કે જો કે અવગ્રહ વગેરે ક્રમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy