SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ - ૧૯ વૃત્તિમાં “અમોધવઊંડરાતીન' એવું ઉદાહરણ છે, જે અમોઘવર્ષ રાજાનો જ નિર્દેશ કરે છે. અમોઘવર્ષનો રાજ્યકાળ શક સં. ૭૩૬ થી ૭૮૯ છે. તે ગાળામાં આની રચના થઈ છે. ચિંતામણી-શાકટાયન વ્યાકરણ-વૃત્તિઃ યક્ષવર્મા નામક વિદ્વાને “અમોઘવૃત્તિના આધારે ૬૦૦૦ શ્લોકપરિમાણની એક નાની એવી વૃત્તિની રચના કરી છે. તેઓ સાધુ હતા કે ગૃહસ્થ અને તેઓ કયારે થઈ ગયા એ સંબંધમાં તથા તેમના અન્ય ગ્રંથોના વિષયમાં પણ કશું જ જાણવા નથી મળતું. તેઓએ પોતાની વૃત્તિના વિષયમાં કહ્યું છે : 'तस्यातिमहती वृत्तिं संहृत्येयं लघीयसी । संपूर्णलक्षणा वृत्तिर्वक्ष्यते यक्षवर्मणा ॥ बालाऽबलाजनोऽप्यस्या वृत्तेरभ्यासवृत्तितः । समस्तं वाङ्मयं वेत्ति वर्षेणैकेन निश्चयात् ॥' અર્થાત્ યક્ષવર્મા કહે છે કે અમોઘવૃત્તિ નામની મોટી વૃત્તિમાંથી સંક્ષિપ્ત કરેલી આ નાની પરંતુ સંપૂર્ણ લક્ષણોવાળી વૃત્તિ છે. બાળકો અને સ્ત્રીઓ પણ આ વૃત્તિના અભ્યાસથી એક જ વર્ષમાં સમસ્ત વાયની નિશ્ચિત રીતે જાણકારી પામી શકે છે. આ વૃત્તિ કેવી હશે તેનું અનુમાન આ ઉપરથી કરી શકાય છે. સમન્નભટ્ટે આ ટીકાના વિષમ પદો પર ટિપ્પણ રચેલ છે, જેનો ઉલ્લેખ ‘માધવીય-ધાતુવૃત્તિમાં આવે છે. મણિપ્રકાશિકા (શાકટાયનવ્યાકરણવૃત્તિ-ચિંતામણિ-ટીકા) : મણિ' એટલે કે ચિંતામણિટીકા, જે યક્ષવર્માએ રચી છે અને તેના પર અજિતસેનાચાર્યે વૃત્તિની રચના કરી છે. અજિતસેન નામના ઘણા વિદ્વાનો થઈ ગયા છે. આ રચના કયા અજિતસેને કયા સમયે કરી છે તે સંબંધમાં કશું પણ જાણવા નથી મળ્યું. પ્રક્રિયાસંગ્રહ : પાણિનીય વ્યાકરણને “સિદ્ધાન્તકૌમુદી' ના રચયિતાએ જે રીતે પ્રક્રિયામાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે જ રીતે અભયચંદ્ર નામના આચાર્ય “શાકટાયન- વ્યાકરણ'ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy