SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયોદશ પ્રકરણ શ્રીચંદ્રસૂરિવિહિત વ્યાખ્યાઓ શ્રીચન્દ્રસૂરિનું બીજું નામ પાર્શ્વદેવગણિ છે. તેઓ શીલભદ્રસૂરિના શિષ્ય છે. તેમણે વિ.સં. ૧૧૭૪માં નિશીથસૂત્રની વિશેષચૂર્ણિના વીસમા ઉદેશકની વ્યાખ્યા કરી છે. આ સિવાય નિમ્ન ગ્રંથો પર પણ તેમની ટીકાઓ છે : શ્રમણોપાસકપ્રતિક્રમણ (આવશ્યક), નન્દી (નન્દીદુર્ગપદવ્યાખ્યા), જીતકલ્પ-બૃહચૂર્ણિ, નિરયાવલિકાદિ અંતિમ પાંચ ઉપાંગ. નિશીથચૂર્ણિ-દુર્ગપદવ્યાખ્યા : નિશીથચૂર્ણિના વીસમા ઉદેશ પર શ્રીચન્દ્રસૂરિએ દુર્ગપદવ્યાખ્યા નામક ટીકા રચી છે. ચૂર્ણિના કઠિન અંશોને સરળ તથા સુબોધ બનાવવા માટે જ પ્રસ્તુત વ્યાખ્યા રચવામાં આવી છે. જેમકે વ્યાખ્યાકાર પ્રારંભમાં જ લખે છે : विंशोदेशे श्रीनिशीथस्य चूर्णी, दुर्गं वाक्यं यत् पदं वा समस्ति । स्वस्मृत्यर्थं तस्य वक्ष्ये सुबोधां, व्याख्यां कांचित् सद्गुरुभ्योऽवबुद्धाम् ॥ २ ॥ આ વ્યાખ્યાનો અધિક અંશ વિવિધ પ્રકારના માસીના ભંગ, દિવસોની ગણતરી વગેરે સંબંધિત હોવાને કારણે નીરસ છે. ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તરનાં નામ સંબંધિત અંતિમ બે ગાથાઓની વ્યાખ્યા કરતાં વ્યાખ્યાકાર કહે છે : ...૩ ફુદ - 1 | Rા રા તી || ૨ | શ | વ ત વવનાત્ સ્વરદિયો हकारान्ता ग्राह्याः । तदिह प्रथमगाथया जिणदास इत्येवंरूपं नामाभिहितं, द्वितीयगाथया तदेव विशेषयितुमाह-जिणदास महत्तर इति तेन रचिता चूर्णिरियम् ।' અંતે વ્યાખ્યાકાર પોતાનો પરિચય આપતાં કહે છે : श्रीशालि( शील)भद्रसूरीणां, शिष्यैः श्रीचन्द्रसूरिभिः । દ્વિશદેશાજે ચાધ્યા, ગૂંથા વૈપાવે ? | ૧. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, સન્ ૧૯૬૦ (નિશીથસૂત્રના ચતુર્થ વિભાગ અંતર્ગત, પૃ. ૪૧૩ ૪૪૩), ૨. પૃ. ૪૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy