SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ નિશીથ-વિશેષચૂર્ણિ ચૂર્ણિકાર આ ગાથાઓના આધારે સંક્ષેપમાં ધૂર્તકથા આપતાં લખે છે કે બાકીની વાતો ધુત્તમ્બાણગ (ધૂર્તાખ્યાન) અનુસાર સમજી લેવી જોઈએ: સેસં ધુત્તવાળTIનુસારણ મિતિ અહીં સુધી લૌકિક મૃષાવાદનો અધિકાર છે. ત્યાર પછી લોકોત્તર મૃષાવાદનું વર્ણન છે. આ જ રીતે અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત છે. આમાંથી પ્રથમ ભાગ દપિકાસંબંધી છે, બીજો ભાગ કલ્પિકાસંબંધી. દર્ષિકાસંબંધી ભાગમાં તત્ત્વવિષયક દોષોનું નિરૂપણ કરતાં તેમનાં સેવનનો નિષેધ કરવામાં આવ્યો છે જ્યારે કલ્પિકાસંબંધી ભાગમાં તત્તદ્વિષયક અપવાદોનું વર્ણન કરતાં તેમનાં સેવનનું વિધાન કરવામાં આવ્યું છે. આ બધા મૂલગુણપ્રતિસેવના સાથે સંબદ્ધ છે. આ જ રીતે આચાર્ય ઉત્તરગુણપ્રતિસેવનાનું પણ વિસ્તારથી વ્યાખ્યાન કર્યું છે. ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ વગેરે અનેક પ્રકારના છે. આનો પણ દપિકા અને કલ્પિકાના ભેદથી વિચાર કરવામાં આવ્યો છે. જેમકે ચૂર્ણિકાર કહે છે : તા થા મૂન' પડિલેવા इति । इदाणि उत्तरगुणपडिसेवणा भण्णति । ते उत्तरगुणा पिंडविसोहादओ अणेगविहा । तत्थ पिंडे ताव दप्पियं कप्पियं च पडिसेवणं भण्णति । मारीत પીઠિકાના અંત સુધી દપિકા અને કલ્પિકાનો અધિકાર ચાલે છે. પીઠિકાની સમાપ્તિ કરતાં એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે નિશીથપીઠિકાનો આ સૂત્રાર્થ કોને આપવો જોઈએ અને કોને નહિ. અબહુશ્રુત વગેરે નિષિદ્ધ પુરુષોને જ આપવાથી પ્રવચન-ઘાત થાય છે આથી બહુશ્રુત વગેરે સુયોગ્ય પુરુષોને નિશીથપીઠિકાનો આ સૂત્રાર્થ આપવો જોઈએ. અહીં સુધી પીઠિકાનો અધિકાર છે. પ્રથમ ઉદેશ : પ્રથમ ઉદેશના પ્રથમ સૂત્ર “ને ઉમરડૂ સ્થi ૬, રતં વા સાફળનો શબ્દાર્થ ભાષ્યકારે આ મુજબ કર્યો છે : जे त्ति य खलु णिहेसे भिक्खू पण भेदणे खुहस्स खलू । हत्थेण जं च करणं, कीरति तं हत्थकम्मं ति ॥ ४९७ ॥ આ ગાથાનો ચૂર્ણિકારે ફરી આ મુજબ શબ્દાર્થ કર્યો છે : “ને તિ નિફ્લે, વસુ' विसेसणे, कि विशिनष्टि ? भिक्षोर्नान्यस्य, 'भिदि' विदारणे, 'क्षुध' इति कर्मण आख्यानं, ज्ञानावरणादिकर्म भिनत्तीति भिक्षुः, भावभिक्षोविशेषणे 'पुनः' शब्दः, 'हत्थे' ति हन्यतेऽनेनेति हस्तः, हसति वा मुखमावृत्येति हस्तः, आदाननिक्षेपादिसमर्थो ૧. પૃ. ૧૦૫. આચાર્ય હરિભદ્રકૃત ધૂર્તાખ્યાનનો આધાર આ પ્રાચીન કથા છે. ૨. પૃ. ૧૫૪. ૩. પૃ. ૧૬૫-૧૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy