SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ આગમિક વ્યાખ્યાઓ पञ्च वर्धन्ति कौन्तेय ! सेव्यमानानि नित्यशः । . आलस्यं मैथुनं निद्रा, क्षुधाऽऽक्रोशश्च पञ्चमः ॥ સત્યાનદ્ધિ નિદ્રાનું સ્વરૂપ બતાવતાં ચૂર્ણિકાર કહે છે કે જેમાં ચિત્ત થીણ અર્થાત સ્થાન થઈ જાય – કઠણ થઈ જાય – જામી જાય તે સ્થાનદ્ધિ નિદ્રા છે. આ નિદ્રાનું કારણ અત્યંત દર્શનાવરણ કર્મનો ઉદય છે : રૂદ્ધ વિત્ત થી નસ अच्चंतदरिसणावरणावरणकम्मोदया सो थीणद्धी भण्णति । तेण य थीणेण ण सो किंचि ૩વનતિ સ્યાનદ્ધિનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે આચાર્ય ચાર પ્રકારનાં ઉદાહરણો આપ્યાં છે. પુદ્ગલ, મોદક, કુંભકાર અને હસ્તિતંત. તેજસ્કાય વગેરેની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે “સિદ્ધસેનાવા વ્યાધ્યાં ઋતિ, તેષાં સિદ્ધસેનાવા व्याख्यां करोति, इमा पुण सागणिय-णिक्खितदाराण दोण्ह वि भद्दबाहुसामिकता પ્રાયશ્ચિત્તચોરીનાથા, યસ રૂમ મદ્વાદુમિતા વેવસ્થા Iણી' વગેરે શબ્દો સાથે ભદ્રબાહુ અને સિદ્ધસેનનાં નામોનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયસંબંધી યતનાઓ, દોષો, અપવાદો અને પ્રાયશ્ચિત્તોનું પ્રસ્તુત પીઠિકામાં અતિ વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. ખાન, પાન, વસતિ, વસ્ત્ર, હલન, ચલન, શયન, ભ્રમણ, ભાષણ, ગમન, આગમન વગેરે બધી આવશ્યક ક્રિયાઓના વિષયમાં આચારશાસ્ત્રની દષ્ટિએ સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. પ્રાણાતિપાત વગેરેનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકારે મૃષાવાદના લૌકિક અને લોકોત્તર - આ બે ભેદોનું વર્ણન કર્યું છે તથા લૌકિક મૃષાવાદ અંતર્ગત માયોપધિનું સ્વરૂપ બતાવતાં ચાર ધૂર્તોની કથા આપી છે. આ ધૂર્યાખ્યાનના ચાર મુખ્ય પાત્રોનાં નામ છે : શશક, એલાષાઢ, મૂલદેવ અને ખંડપાણા. આ આખ્યાનનો સાર ભાષ્યકારે નિમ્નલિખિત ત્રણ ગાથાઓમાં આપ્યો છે : सस-एलासाढ मूलदेव खंडा य जुण्णउज्जाणे। सामस्थणे को भत्तं, अक्खातं जो ण सद्दहति ॥ २९४ ॥ चोरभया गावीओ, पोट्टलए बंधिऊण आणेमि । तिलअइरूढकुहाडे, वणगय मलणा य तेल्लोदा ।। २९५ ॥ वणगयपाटण कुंडिय, छम्मासा हत्थिलग्गणं पुच्छे । रायरयग मो वादे, जहिं पेच्छइ ते इमे वत्था ॥ २९६ ॥ ૧. પૃ. ૫૫. ૨. પૃ. ૭૫, ૭૬ વગેરે. ૩. પૃ. ૧૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy