SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આગમિક વ્યાખ્યાઓ જીવની અનેકતા : જીવનું લક્ષણ ઉપયોગ છે. જીવના મુખ્ય બે ભેદ છે સંસારી અને સિદ્ધ. સંસારી જીવના ફરી બે ભેદ છે : ત્રસ અને સ્થાવર.' જે લોકો આકાશની જેમ એક જ જીવની સત્તામાં વિશ્વાસ કરે છે તે યથાર્થવાદી નથી. નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે પિડોમાં આકાશની જેમ એક જ આત્મા માનવામાં શું હાનિ છે? આનો ઉત્તર તે છે કે આકાશની જેમ બધા પિંડોમાં એક આત્મા સંભવિત નથી. આકાશનું સર્વત્ર એક જ લિંગ અથવા લક્ષણ આપણે અનુભવીએ છીએ આથી આકાશ એક જ છે. જીવના વિષયમાં એવું નથી કહી શકાતું. જીવ પ્રત્યેક પિંડમાં વિલક્ષણ છે આથી તેને સર્વત્ર એક નથી કહી શકાતો. જીવ અનેક છે કેમકે તેમાં લક્ષણભેદ છે, જેમકે વિવિધ ઘટ. જે વસ્તુ અનેક નથી હોતી તેમાં લક્ષણ ભેદ પણ નથી હોતો, જેમકે આકાશ. વળી, એક જ જીવ માનવાથી સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરેની વ્યવસ્થા પણ નથી થઈ શકતી. એક જ જીવનું એક જ સમયમાં સુખી-દુઃખી થવું સંભવતું નથી, બદ્ધ-મુક્ત થવું સંભવતું નથી. આથી અનેક જીવોની સત્તા માનવી યુક્તિસંગત છે. ઈન્દ્રભૂતિ મહાવીરના ઉપર્યુક્ત વક્તવ્યથી પૂર્ણ સંતુષ્ટ નથી થતા. તેઓ ફરી શંકા કરે છે કે જો જીવનું લક્ષણ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ છે અને તે બધા જીવોમાં વિદ્યમાન છે તો પછી પ્રત્યેક પિંડમાં લક્ષણ ભેદ કેવી રીતે માની શકાય ? આનું સમાધાન કરતાં ભગવાન મહાવીર કહે છે કે બધા જીવોમાં ઉપયોગરૂપ સામાન્ય લક્ષણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રત્યેક શરીરમાં વિશેષ-વિશેષ ઉપયોગનો અનુભવ થાય છે. જીવોમાં ઉપયોગના અપકર્ષ તથા ઉત્કર્ષના તારતમ્યના અનંત ભેદ છે. આ જ કારણ છે કે જીવોની સંખ્યા પણ અનંત છે. જીવનું સ્વદેહ-પરિમાણ : જીવોને અનેક માનવા છતાં પણ સર્વવ્યાપક માનવામાં શું મુશ્કેલી છે? જીવ સર્વવ્યાપક નથી પરંતુ શરીરવ્યાપી છે કેમકે તેના ગુણ શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમકે ઘટના ગુણ ઘટના બાહ્ય દેશમાં ઉપલબ્ધ નથી થતાં આથી તેને સર્વવ્યાપક નથી માની શકાતો, તે જ રીતે આત્માના ગુણ પણ શરીરની બહાર ઉપલબ્ધ નથી થતાં આથી તે સ્વદેહપરિમાણ જ છે. અથવા જ્યાં જેની ઉપલબ્ધિ પ્રમાણસિદ્ધ નથી થતી ત્યાં તેનો અભાવ માનવો જોઈએ જેમકે ઘટમાં પટનો અભાવ છે. ૧. ગા. ૧૫૮૦. ૨. બ્રહ્મબિંદુ ઉપનિષદુ, ૧૧ વગેરે. ૩. ગા. ૧૫૮૧-૩. ૪. જેમકે સાંખ્ય, નૈયાયિક વગેરે માને છે. ૫. તુલના : અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિશિકા, ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy