SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણજીની પેઢી તરફી આવેલો. (૬) ઉજમફઈની ધર્મશાળાનો ભંડાર (૭) આંબલીપોળના ઉપાશ્રયનો થોડોક ભંડાર. (૮) જેસિંગભાઈની વાડીમાં એક ઘર હતું. આ મકાનનું એક બારણું જયંતિ દલાલનું પ્રેસ હતું ત્યાં પડતું હતું. એ ઘરનો ભંડાર. (૯) સોદાગરની પોળનો વૈરાટીનો ત્રીજે માળે રહેલો ભંડાર. (૧૦) દેવસાના પાડાનો દયાવિમલનો ભંડાર. બે ભંડાર હતા. એમાંથી મહેન્દ્ર-વિમલનો ભંડાર ત્યાં રહેલો. (૧૧) લવારની પોળનો ભંડાર. આ ભંડાર નીતિસૂરિવાળા મોતીવિજયનો હતો. હજુ ત્યાં સંઘનો પોતાનો ભંડાર છે જ. (૧૨) ફતાસાપોળમાં એક બહેન તરફથી સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર મળેલું - બહેન આપવા આવ્યાં ત્યારે કસ્તૂરભાઈ શેઠે કહેલું : “કીમતી છે. વિચાર કરીને આપજો.’ બહેન : મને આ કોઈ સાધુ ભગવંતે સાચવવા આપેલું હતું. આપ્યા પછી એ પાછા આવ્યા જ નથી, એમના કોઈ સમાચાર પણ નથી. હવે મારે એને સાચવવું નથી. (૧૩) ભઠ્ઠીની બારીનો ગોધાવીવાળો ભંડાર - પુણ્યવિજયજીનાં) મહારાજનાં બા કીર્તિમુનિ અને લલિતમુનિના સંઘાડામાં દીક્ષિત થયેલાં. અહીંનો ભંડાર તેઓનો હતો. પુણ્યવિજયજીએ દીક્ષા વલ્લભસાગરમાં લીધી હતી. (૧૪) ભરૂચનો ભંડાર : અહીં સંઘ ઘણો મોટો હતો છતાં આપેલો ! (૧૫) પાલનપુરનો ડાયરાનો ભંડાર : જોકે, પાછળથી એ લોકોએ આ ભંડાર પાછો લેવા મહેનત કરી પણ જાહેર ટ્રસ્ટ હોવાથી પાછો આપી શકાય નહિ તેવો કાયદો નડ્યો. (૧૬) ઝાલોરનો કલ્યાણવિજયનો ભંડાર (૧૭) જિનવિજયજીનો ભંડાર : જિનવિજયજીના કાળધર્મ પામ્યા બાદ એમનો અમદાવાદ ખાતે જે ભંડાર હતો તે એલ. ડી.માં આવી ગયેલો.. (૧૮) વડોદરાના ઝવેરી (કદાચ... અંબાલાલ.)નો ભંડાર. (૧૯) ડભોડાના જૈનસંઘનો ભંડાર : ડભોડા પ્રાંતીજ બાજુ આવ્યું. (૨૦) રાધનપુરનો ભંડાર - ઓમકારસૂરીશ્વરનો હતો. (૨૧) સુરતનો ભંડાર - આ ભંડાર ચંદ્રોદયસૂરીએ આપેલો. (૨૨) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર. (આમ, આટલાં નામો તો એકસાથે બોલી ગયા.) પછી બોલ્યા. હવે બીજાં નામો હાલ યાદ આવતાં નથી.. પ્રશ્ન : આ બધા ભંડારોમાં પુસ્તકો કે manuscripts હતી ? દાદા : આ બધા ભંડારો ભેટ તરીકે લીધેલા. એમાં મૂર્તિઓ અને ચિત્રો પણ ખરાં. પુસ્તકો ઓછાં, manuscripts વધારે હતી. આ સંદર્ભે દાદાને એક પ્રસંગ યાદ આવ્યો. કહે : એક વાર શેઠ શ્રેણિકભાઈએ આપેલું કશુંક પાછું માગ્યું ત્યારે મેં જણાવેલું : શેઠશ્રી. મેં એ લેતી વખતે એની પાવતી આપી હતી. એમાં આપશ્રીની છે. આ તો પબ્લિક ટ્રસ્ટ છે તેથી પરત આપી શકાશે નહિ. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy