SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એ પોથી આપી. આ પોથીનાં પાનાં ફેરવતાં મેં નોંધ્યું કે એમાં હસ્તાક્ષરોનો ઘણો મોટો તફાવત છે. મેં દાદાને બતાવ્યું. દાદાએ પોતાની વાત કરી : થોડા દિવસ પહેલાં ચેકમાં સહી કરી મેં ચેતનને બેંકમાં પૈસા લેવા મોકલ્યો. દર વખતે એ જ જાય. આ વખતે “આ અક્ષર મારા નથી” કહી પૈસા ન આપ્યા, ફેંસલો થઈ જાય એટલે હું જાતે ગયો. બેંકમાં તો સૌ મને ઓળખે. રૂબરૂમાં સહી કરવા પેન હાથમાં લીધી. એક અક્ષર લખાયો અને હાથમાં ધ્રુજારી આવી. કહ્યું: “હવે આગળ મારાથી લખાશે જ નહીં. મારા હાથ જ ખૂબ ધ્રૂજે છે : પછી કહે: અક્ષરો બાબતે ઉંમર થતાં આવું બને છે.” પછી તો કામ અને વાતોનો દોર ચાલ્યો. કોઈક વાત પરથી વાત નીકળતાં દાદાએ એમની હંમેશની ટેવ મુજબ તારણરૂપ વાક્ય કીધું: “વેશ બદલવો સહેલો છે. પણ વિચાર બદલવો સહેલો નથી. કેટલાયે અનુભવો પછી વિચાર ઘડાય છે. એને એક ઝાટકે બદલાય ખરો ?" પ્રશ્ન : દાદા, આપે એક વાર મહારાજજીના પાટણમાં ૨૨ ચોમાસાં કર્યા હોવાની વાત કરી હતી તેવું કશુંક મને યાદ છે. આંક હું ભૂલતી તો નથી ને ? Confirm કરવા પૂછું છું. જવાબ : હા, બરાબર છે, આટલાં બધાં ચોમાસાં થયાં તેની પાછળનું નિમિત્ત હતું તેમના દાદાગુરુની નાદુરસ્ત તબિયત. ચતુરવિજયજી તેમના ગુરુ અને કાંતિવિજયજી તેમના દાદાગુરુ.. પણ આ મળેલા સમયનો સદુપયોગ થયો. મને ગુરુ મળ્યા એ મારું સદ્ભાગ્ય ! ત્યારબાદ દાદા પાટણના ભંડારોની વાતોમાં સર્યા. પાટણમાં ભંડારો ઘણા. મહારાજજીએ પાટણના બધા સંઘોને ભેગા કર્યા. જણાવ્યું કે આ બધા ભંડારો કોઈ એક જ સ્થાને રહે તો સારું. દાબડા, કબાટો, અને ગ્રંથો – આ તમામ મિલકત સંઘની જ રહેશે. આ સમજાવટ લેખે લાગી અને એમ જ થયું. પછી મને પૂછે: તમે ચિનુભાઈ મેયરનાં ધર્મપત્ની પ્રભાવતીબહેનને ઓળખો? મેં હા પાડી. દાદાએ વાત આગળ ચલાવી. કહે : એ મૂળ પાટણનાં. એમના પિતાશ્રીનું નામ મણિભાઈ મોહનભાઈ શેઠ. એમણે એ જમાનામાં ઘણી મોટી કહેવાય એવી રકમ – ૨૫૦૦ રૂ. - આ કામ માટે સંઘને અર્પણ કરી. સંઘે જમીન લીધી. એમાંથી આજનું “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' બન્યું. વિ. સં. ૧૯૮૨ની વાત. સં. ૧૯૯૨માં જ્યારે ‘હમસારસ્વતસત્ર' ભરાયું ત્યારે મુનશીને હાથે એનું ઉદ્દઘાટન થયેલું. પંચાસરાના જિનાલયની સામે એક બીજું જ્ઞાનમંદિર છે. કેસરબાઈ જ્ઞાનમંદિર એનું નામ. મારો ભાઈ ત્યાં કામ કરે છે. પ્રશ્ન : જ્ઞાનભંડારો બે કેમ બન્યા ? દાદા : રામચંદ્રસૂરિશ્વરજી અને આ. વલ્લભવિજય એમ બે આચાર્ય ભગવંતોના આશીર્વાદ અને પ્રેરણાથી બે જ્ઞાનમંદિરો બન્યાં. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy