SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્રિય જેવાં વિશેષણો કેમ પ્રયોજ્યાં છે ? દાદા : મહારાજજીએ એમના જમાનાના એક લહિયાનાં ખૂબ જ વખાણ કર્યા છે. તેનું નામ ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી, તેઓ લેખકરત્ન' કહેવાતા. અહીં લેખક શબ્દ writerના અર્થમાં નથી, નકલ (copy) કરનાર લહિયાના અર્થમાં છે, તે સમયે પાટણના લહિયાઓ એમની પાસે તૈયાર થયેલા. હું પણ એમની પાસે લિપિ લખતાં અને ઉકેલતાં શીખેલો. ગોવર્ધનદાસ જીર્ણશીર્ણ કે નષ્ટભ્રષ્ટ પ્રતની લિપિ ઉકેલવામાંય ઉસ્તાદ હતા. તેમને ઘણાબધા વિષયોની જાણકારી હતી. ઉપર આપેલાં વિશેષણો એમને લાગુ પડતાં. - એક વાર એમની પાસે યંત્ર દોરવા માટે આવ્યું. યંત્ર જોઈને એમણે તરત કહેલું: ‘આ યંત્રમાં ભૂલ દેખાય છે.' એમની લખવાની શૈલી પણ વિશિષ્ટ હતી. અંગુઠો અને ત્રીજી આંગળીથી લખતા. એ વાકપટુ અને ધીર હતા. લઘુહસ્ત તથા જિતેન્દ્રિય પણ હતા. લઘુહસ્ત એટલે ફોરા હાથે લખવું - ઝડપથી લખવું. નર્તકી ફોરી રીતે ઝડપથી ફરે છે તેથી તેને લઘુહસ્તકી કહે છે. લહિયાઓને એકલા રહેવાનું ખૂબ જ આવે. ગમે તે ઘર હોય. સગવડ વિનાનું હોય. એક નાની રૂમ હોય. ખાવાપીવાનું પણ જે મળે તે. ગોવર્ધનદાસ બપોરે બાટી-દાળ તથા રાત્રે માત્ર દૂધ જ લેતા. તેઓ ખૂબ સંતોષી હતા. સવારથી રાત સુધી કામ કર્યે જતા. ફરવાનું નહીં. લહિયાઓ ઉપાશ્રયમાં બેસીને લખે. સગવડમાં એક કંબલ મળે. પગ નીચે કંબલ મૂકી, પગ લાંબા કરીને લખે તો થાક ન લાગે. દાદાએ લહિયાઓ વિશે થોડી વધારે વાત કરી: કાશમીરી લહિયાઓ કળાબાજ કહેવાતા; કારણ કે તેઓ પાનાંની નીચે ટેકણ રાખ્યા વિના જ લખતા. પં. અમૃતભાઈના પિતાશ્રી મોહનભાઈ આ રીતે લખતા. મોહનભાઈ જિતેન્દ્રિય હતા. પચીસ વર્ષની વયે બાવ્રતધારી ! સૂતાં સૂતાં લખે. મોહનભાઈના પરિગ્રહની એક મર્યાદા – ર00 રૂ.નો દાગીનો, ૨૦૦ રૂ. રોકડા અને ૨૦૦ રૂ. મકાનના. પ્રશ્ન : પુસ્તકમાં ચંચળબહેનના ભંડારનો ઉલ્લેખ આવે છે તે ભંડાર અમદાવાદમાં ક્યાં આવ્યો? દાદા : પહેલાં તો તે તાશાપોળનો ઢાળ ઊતરતાં, અરવિંદ પનાલાલની હવેલી સામે એક પાઠશાળા હતી તેમાં હતો. હાલ તે ભંડાર ડહેલાના ઉપાશ્રયમાં પુસ્તકમાંનાં લખવાનાં સાધનો અંગે સમજૂતી માંગી. પ્રશ્ન : કેશની એટલે કે વાળની જરૂર આ સાધનોમાં શા માટે ? દાદા : ટાંકની ફાટ મોટી થઈ હોય તે ભરાવવા માટે. પ્રશ્ન : દાભ ? શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy