SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધી જ્યારે જ્યારે દાદા પાસે બેસવાનું બનતું ત્યારે બોલી શકાયું ત્યાં સુધી દાદાએ વાતો કર્યા કરેલી. આજે દાદાએ જાણે હેમીબહેનને પોતાની proxy ભરવાનું કહ્યું ન હોય ! તેમ હમીબહેને બાળપણથી માંડીને આજના દિવસ સુધીની દાદા વિશેની વાતો કરી. ૧૨-૩૦ કલાકે અમે છૂટાં પડ્યાં. પ્રસ્તુત વાતોને પરિશિષ્ટ : ૮ માં આપવામાં આવેલ છે.) ૧૨-૩૦ વાગે છૂટી પડી ત્યારે હેમીબહેન કહે : “દાદા થોડા દિવસ પર કહેતા હતા કે તારી મોટીબહેન આજે જો જીવતી હોત તો આજે તે ૬૦ વર્ષથી ય મોટી હોત. આજે મારે બહેન નથી પણ દાદાને તમારા જેવી કેટલી બધી દીકરીઓ છે ?” તા. ૧૪-૩-૨૦૦૫, સોમવાર - સમય સાંજે ૫-૩૦ શ્રીનો ઑફિસેથી ઘેર આવવાનો આ સમય. એ આવ્યા. હું આ સમયે દાદાને ત્યાં આજે સવારે હેમીબહેન સાથે થયેલી વાતોને નોંધતી હતી. બારણું ખોલીને ફરી અધૂરું લખવા માટે બેઠી. શ્રી મારી પાસે આવીને ઊભા રહ્યા. ખભે હાથનો સ્પર્શ કરીને કહ્યું : “અંદર આવ.” મેં એમના સામે જોયું. કશુંક અગત્યનું કંઈક ગંભીર બન્યું છે તેવું લાગ્યું. હું ઊઠી. અંદર ગઈ. સમાચાર આપ્યા : “દાદા ગયા” એક ક્ષણ સુન્ન થઈ તરત સ્વસ્થતા ધરી દાદાને ત્યાં જવાને બન્ને નીકળ્યાં. - ગુણવંતભાઈએ જણાવ્યું: “રથી રા ગાળામાં આ બન્યું. બે દિવસથી એમણે પડખે સૂવાની ટેવ છોડી દીધેલી. આમ તો હંમેશાં પડખાભેર સૂઈ રહેતા. પણ બે દિવસથી ચત્તા સૂઈ રહેતા, તે કદાચ સંકેત હતો ? ડૉક્ટરે આવીને ૩ વાગે ડીક્લેર કર્યું. આજે દાદા ૮૭ વર્ષ, ૪ માસ અને ૩ દિવસનું આયુષ્ય ભોગવીને ગયા.” - પછી એમનો બંધ ન રહ્યો. આંખો આંસુથી છલકાઈ ગઈ. – હું તથા શ્રી અમે બન્ને ખાસ્સી વાર દાદાના મૃતદેહ સમક્ષ ઊભાં રહ્યાં. “સવારે તો શ્વાસનો અવાજ કેટલો બધો સંભળાતો હતો ! હવે બધું શાંત ! દાદા જાણે અવાજ વિનાની ઊંઘ લઈ રહ્યા છે !” – પ્રાર્થના કરી : “ ૐ નમો ભગવતે ૐ નમો ભગવતે | ૐ નમો ભગવતે ” હે મા, મારા દાદાના આત્માને શાંતિ આપ. પ્રાર્થના પૂરી થઈ પણ હજુ ત્યાંથી ખસાતું ન હતું. ઘણી બધી વાતો જાણે કે એમને મારે કરવાની છે હજુ. સ્વગત બોલવા લાગી : “દાદા, તમે ઘણા સમયથી ઝંખેલી યાત્રાએ સુખેથી પ્રયાણ કરો. આમ છતાં, એક વાત તમને કહ્યા વિના રહી શકતી નથી અને તે એ છે કે આપણા ઋણાનુબંધ હજુ પૂરા થયા નથી, હં. તમે આગળ જાવ છો અને ફરીથી લિપિજ્ઞાનનું આ ક્ષેત્ર તૈયાર કરો છો. હું આવીશ ત્યારે ફરીથી તમારી સાથે આ ક્ષેત્રમાં કામ કરવાને જોડાઈશ. હવે હું એવું પુણ્ય આ ભવમાં કરીશ કે જેથી કરીને આ ભવે નડેલાં અંતરાય કર્મો – પેલા કાઠિયા - નડે નહિ, અને હું વિના વિખે આ કામ કરી શકું. આધ્યાત્મિક યાત્રાની વાતોને મોડે મોડે થોડું સમજી છું તે પણ આ જ્ઞાન-યાત્રાની સાથે સાથે આગળ ચાલે એવી સજ્જતા કેળવીને આવીશ. “દાદા, આજે આ સાનિધ્ય સમાપ્ત થતું નથી. ક્ષરદેહે હવે ભલે તમે ન હોવ. ભલે ક્ષર-દેહનાં આ છેલ્લાં દર્શન હોય ! આમ છતાં, તમે અનેક રીતે મારી સાથે છો. તમે મને કેટલું જ્ઞાન આપ્યું છે ! કેટલી સમજ આપી છે ! આ બધુંય પાછું કશાય આગ્રહ વિના, કશુંય સીધી રીતે કહ્યા વિના ! આ બધું જ મારી પાસે છે તેથી જ, તમે મારી સાથે છો જ. તમે છો જ દાદા, તમે છો જ. ...” ૧૪૪ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy