SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ૨૩. ભવસાગર પાર ઉતરવાનો ઉપાય -- આરંભ વિષય-ક્યાય તજ, શુદ્ધ સમક્તિ વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩. આ દોહરામાં ગ્રંથકારે સાધના – પ્રક્રિયાની સારભૂત વિધિ કહી છે. સાધક જો આ વિધિને અનુસરીને ચાલે તો તેને કોઈ ઠેકાણે ભટકવાનું રહે નહીં, અને મોક્ષમાર્ગમાં તે ગંતવ્યસ્થાને અચૂક પહોંચી શકે. અહીં જે પારિભાષિક શબ્દો વપરાયા છે તેને પહેલાં સંક્ષેપમાં સમજીએ. (૧) આરંભઃ આરંભ એટલે હિંસાદિ કાર્યો કરવા તે. આરંભ પહેલા સમારંભ અને સમારંભ હોય છે. સમારંભ એટલે જીવોને પ્રમાદવશે મારવાનો સંકલ્પ કરવો; પછી તે માટે સાધનો એકઠા કરવા તે સમારંભ છે. આમ સમરંભ, સમારંભ અને આરંભ એ ત્રણેય મન, વચન અને કાયા વડે પોતે કરવા, બીજા પાસે કરાવવા અથવા કરનારને અનુમોદન કરવું, તેથી તે ૩ X ૩ X ૩=૨૭ પ્રકારે થયા. આ બધા ક્રોધ, માન, માયા અને લોભને વશ થઈને કરતાં ૨૭ X ૪=૧૦૮ પ્રકારે થયાં. આમ આરંભના પ્રકાર ૧૦૮ થયાં. (૨) વિષય : પાંચ ઈન્દ્રિયોના વિષયો જેવા કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. મન પણ નોઈન્દ્રિય તરીકે ગણાય છે. આમ મન જ વિષયોમાં મુખ્ય ભાગ ભજવતું હોવાથી તે ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા ગણાય છે. (૩) કષાય ? તેની કુલ ૨૫ પ્રકૃત્તિ છે. ક્રોધ, માન, માયા અને લોભ = ૪. તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન – તેના પ્રકાર =૪ એટલે ૪ x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy