SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ બ્રહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ ભાવપૂર્વકની ભક્તિ પરમ કલ્યાણનું કારણ બને છે. ૭. જિનદેવ દર્શન ભાવના -- શ્રી જિનયુગ પદક્ષ્મળમેં, મુજ મન ભ્રમર વસાય; બ્ધ ઊગે વો દિન, શ્રી મુખ દરિસન પાય. ૭. અહીં મોક્ષાભિલાષી સાધક ખૂબ વિનયપૂર્વક જિનેશ્વરદેવના ચરણારવિંદમાં વંદન કરી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારું મન ભ્રમર જેવું ચંચળ હોવાને કારણે હું પાંચેય ઈન્દ્રિયોના વિષયોને સમયે સમયે વશ થઈ જાઉં છું અને તેમાં જ મગ્ન રહું છું. પરિણામે રાગ અને દ્વેષના ભાવો કરી, કર્મો ઉપાર્જન કરી, સંસાર પરિભ્રમણ કર્યા કરું છું. તેથી, હે જિનેશ્વર વીતરાગ! મારા માટે એવો દિવસ હવે ક્યારે ઊગશે કે જ્યારે હું આપના મુખારવિંદના પવિત્ર દર્શન અંતરથી પામી શકું અને વિષય અને કષાયોમાંથી મુક્તિ પામી શાંતિનો અનુભવ કરી શકું. શરૂઆતની ભૂમિકામાં સાધક પરપદાર્થોની આસક્તિમાંથી આમ ખસવાનો ઉદ્યમ કરવાના અર્થે દેવ શાસ્ત્ર અને ગુરુની પૂજા તથા ભક્તિમાં અંતરથી લીન થવાનો પ્રયત્ન કરે છે, અને પછી જ તે પોતાના જ્ઞાયકનો અનુભવ કરવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપાડી શુદ્ધ સમ્યગ્દર્શન પામી રત્નત્રય પ્રાપ્ત કરે છે. આમ અહીં મંગળાચરણના સાત દોહરા પૂર્ણ થાય છે. ૮. આલોચના વિધિ નિર્દેશ -- પ્રણમી પદપકંજ ભણી, અરિગંજન અરિહંત; ક્શન કરી અબ જીવકો, િિચત્ મુજ વિરતંત. ૮. આ દોહરાથી સાધક આલોચનાનું વૃત્તાંત ચાલુ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy