SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ આલોચનાદિ પદ્યે સંચ આ દોહરામાં ‘હંસ’ અને ‘વંશ’ શબ્દોથી સુંદર પ્રાસ અને ભાવ વ્યક્ત થયા છે. જેમ હંસમાં દૂધ અને પાણી અલગ કરવાની શક્તિ છે તે જ પ્રમાણે આ જીવરૂપી હંસમાં પણ જડ-કર્મથી પોતાને ભિન્ન કરવાની શક્તિ છે. વંશ અર્થાત્ વંશપરંપરા. જેમ પુત્રથી પુત્ર ઉત્પન્ન થવાથી ક્રમથી વંશ-પરંપરા ચાલે છે તેમ કર્મથી કર્મબંધન અને તેથી કર્મના વંશની વૃદ્ધિ થાય છે. જેને કર્મ પરંપરા કહી શકાય. ૮. જીવની પામરતાનો સ્વીકારઃ- ૯૨ રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ, સિંહ પિજરામેં દિયો, જોર ચલે ક્યુ નાંહિ. ૮. અહીં ત્રણ રૂપકથી સંસારી જીવની વર્તમાન કર્મબંધ અવસ્થાનું ભાન કરાવે છે. (૧) જેમ રૂની કે કપડાની ગાંસડીમાં રત્નને બંધ ક૨વામાં આવ્યો હોય તો તેનાં પ્રકાશ ઉપર રૂ કે કપડાંનું આવરણ આવતાં તે રત્ન સાવ ઝાંખો દૃષ્ટિમાં આવે છે, (૨) જેમ વર્ષાકાળ વખતે ઘનઘોર કાળા વાદળા, સૂર્યની આગળ આવી જતાં, વાદળાંના આવરણથી તેનો પ્રકાશ ઢંકાઈ જતા, તે ખૂબ ઝાંખો દ્રશ્યમાન થાય છે અને (૩) જેમ સિંહને પાંજરામાં પુરવામાં આવતાં તેની પ્રચંડ શક્તિ તે વખતે ક્ષીણતાને પામી ગઈ હોવાથી તે સાવ ઘેંટા જેવો ગરીબ અને શક્તિહીન દશા અનુભવી રહ્યો હોય તેમ નજરમાં આવે છે, કારણ કે તે વખતે તેનું જોર કાંઈ ચાલતું નથી. તેમ અજ્ઞાની જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ ચૈતન્યસ્વરુપ, અનંત આનંદનો પિંડ, અનંત પ્રભાવવાળો અને સિદ્ધ સમાન હોવા છતાં કર્મોના આવરણોને વશ થઈ, હીનસત્વ થયો હોવાથી પર્યાયમાં પામરતા અનુભવે છે. આમ પોતાના જ દોષે વિકારી ભાવો કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy