SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; મોક્ષની પ્રાપ્તિ આ આત્મજ્ઞાનના ચારિત્રસહિતના ક્રમિક)વિકાસથી થાય છે. આ મહા-આનંદપ્રદ મોક્ષપદમાં કોઈપણ પ્રકારનાં દુ:ખ કે ક્લેશ હોઈ શક્તા નથી-ટકી શક્તા નથી કારણ કે તેવા ક્લેશાદિની ઉત્પત્તિની અંતરંગ કે બહિરંગ કોઈપણ કારણસામગ્રીનું ત્યાં અસ્તિત્ત્વ જ રહેતું નથી. આવા મોક્ષપદને પ્રગટાવનાર આત્મજ્ઞાન છેઃ કહ્યું છે : (દોહરો) વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદ વાસ. (હરિગીત) જે કોઈ ભવમુક્તિ વર્યા, તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફસ્યા, તે ભેદજ્ઞાન વિના અરજી (રોલા છંદ) જે પૂરવ શિવ ગયે, જાહિ, અરુ આગે જે હૈ, સો સબ મહિમા જ્ઞાનતની મુનિનાથ કહે હું; વિષય-ચાહદવ-દાહ જગત-જન અરનિ દઝાવે, તાસ ઉપાય ન આન, જ્ઞાન ઘનઘાન બુઝાવૈ. સતત આત્મજાગૃત્તિ દ્વારા જ મુનિપદ પ્રાપ્ત થઈ શકે છે તેવો સિદ્ધાંત હવે પ્રતિપાદિત કરે છે. જેમ જગતના લોકો ઊંઘી જાય ત્યારે પોતાનાં શરીરાદિનું કશું ભાન રહેતું નથી અને તેઓ મૂઢજડ જેવા થઈ જાય છે તેમ પરમાર્થમાં જેઓ મોહરૂપી નિદ્રાને આધીન થઈ જાય તેઓને પોતાના આત્મકલ્યાણનું ભાન રહી શક્ત નથી. આવી મોહનિદ્રાના બે પ્રકાર છે, એક દર્શનમોહથી ઉત્પન્ન થયેલી અને બીજી ચારિત્રમોહથી ઉત્પન્ન થયેલી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૨. શ્રી સમયસારકળશ, ૧૩૧. શ્રી અમૃતચંદ્રાચાર્ય (ગુજરાતી પદ્યાનુવાદ રા.દેસાઈ) શ્રી છહ-ઢાળા, ૪/૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy