SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૬૨ વર્તવું પડે ત્યારે સ્વરૂપમાં સ્થિર રહેવું વિકટ છે એમ નિર્ધાર કરી, અંતરમાં તો નિવૃત્તિની ભાવના જ રાખવી અને જે કામ કરવું પડે તે ઉપલક રીતે કરવું પણ તન્મય થઈને કરવું નહીં એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે. કહ્યું છે કે ઃ-~~ આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ કામ લાંબા સમય સુધી પોતાના ચિત્તમાં ધારી રાખવું નહીં; જો કદી પ્રયોજનવશ ક૨વું પડે તો શરીરવાણીથી ક૨વું પણ તત્પર (તન્મય, એકાકાર) થઈને કરવું નહિ. “પ્રમાદના અવકાશયોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને, આત્મહિત ઈચ્છવું એ નહિ બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થયું સંભવે છે.”ર .....જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. આ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગ્રત રહે છે. આત્મજ્ઞાનની જ્યોતિ જેના જીવનમાં પ્રકાશિત થઈ ગઈ છે તેવો પુરુષ જો વિશિષ્ટ નિર્વિકલ્પ આત્મસમાધિને ઈચ્છતો હોય તો તેણે શું કરવું આવશ્યક છે તે હવે જણાવે છે. વર્તમાનકાળની દૃષ્ટિએ સામાન્યપણે વિચારીએ તો આત્મજ્ઞાની પુરુષને અપ્રમત્ત ગુણસ્થાન સુધી પહોંચવાનો પુરુષાર્થ સિદ્ધ થતાં બાર વર્ષથી અધિક કાળ તો સહેજે નીકળી જાય તેવું છે. પછી તો જે જ્ઞાનીનો જેવો પુરુષાર્થ અને જેવી તેના સમસ્ત વ્યક્તિત્વની યોગ્યતા. ૧. ૨. ૩. आत्मज्ञानात् परं कार्यं न बुद्धौ धारयेत् चिरम् कुर्यात् अर्थवशात् किंचित् वाक्कायाभ्याम् अतत्पर: ।। -શ્રી સમાધિશતક, ૫૦. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૫૨૮. શ્રી પ્રવચનસાર, તત્ત્વાર્થદીપિકા, ગાથા ૮૦મી તથા ગાથા ૮૧ ની ઉત્થાનિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy