SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૫૦. જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! અબ હમ અમર ભયે ન મરેંગે (૨) યા કારણ મિથ્યાત દીયો તજ કર્યો કર દેહ ધરેંગે...અબo. “છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. આમ, આત્મજ્ઞાનથી પ્રારંભ કરીને વિશિષ્ટ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં જેમનાં વચનો, મુદ્રા અને પ્રત્યક્ષ સમાગમ અમને પરમ ઉપકારભૂત થયાં છે અને જેમના સાન્નિધ્યની પ્રાપ્તિથી અમારા આત્મામાં ઉંચી ઉચી અધ્યાત્મદશા પ્રગટ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તેવા પ્રાપ્ત મૂર્તિમાન મોક્ષસ્વરૂપ જે શ્રી પુરુષ, તેમના તે ઉપકારને અમે ફરી ફરીને વન્દનાત્મક પ્રણામ કરીએ છીએ. જોકે તેમના અપૂર્વ ઉપકારનો બદલો અમે કોઈ પણ રીતે વાળી શકવાને સમર્થ નથી છતાં યત્કિંચિત્ તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે અને અમારા આત્માને વિશેષ નિર્મળ બનાવવા માટે અમે વારંવાર અમારા ચિત્તમાં તે મહાપુરુષોનું સ્મરણ કરીને ધન્યતા અનુભવીએ છીએ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨. યોગીરાજ શ્રી આનંદઘનજી. શ્રી સમયસાર ૭૩. (હિ. જે. કૃત ગુજરાતી પદ્યાનુવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy