SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, શાંતદશા તિનકી પહિચાનિ, ४९ કરે કર જોરિ બનારસી વન્દેન. આ પ્રમાણે અમારા આત્મામાં કેવળજ્ઞાનની સ્પષ્ટ પ્રતીતિ થઈ હોવાથી અમને શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે. સમ્યક્ત્વ જેનો ગુણ છે એવા શુદ્ધ આત્માનો અમને અતિશય લક્ષ રહે છે તેથી વિચારદશાએ અમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે. ત્રણ કાળ ત્રણ લોકના સર્વોત્કૃષ્ટ દુન્યવી વૈભવને અમે તરણા તુલ્ય તુચ્છ શ્રદ્ધીએ છીએ અને અંતરમાં તેને જરા પણ નથી ઈચ્છતા તેથી ઈચ્છાદશાએ અમને કેવળજ્ઞાન થયું છે. અધ્યાત્મ પદ્ધતિમાં, દ્રવ્યાર્થિક નય માત્ર દ્રવ્યનું જ ગ્રહણ કરે છે, પર્યાયને કરતો નથી; અને આવું જે શુદ્ધાત્મદ્રવ્ય તેનો તો અમને સાક્ષાત્કાર થઈ ગયો છે, માટે મુખ્ય એવો જે દ્રવ્યાર્થિકનય તેની અપેક્ષાએ પણ અમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે. આ પ્રમાણે અમારા આત્મામાં ઉત્પન્ન થયેલું સ્વસંવેદનપ્રત્યક્ષ જે સમ્યક્ત્વરૂપી કેવળજ્ઞાન તે ક્રમે કરીને વધતું વધતું સર્વ મોહનીય કર્મનો નાશ કરી, અનંત અવ્યાબાધ સુખને પ્રગટ કરવાવાળું છે. યથા— “જૈસો નિરભેદરૂપ નિહચે અતીત હતો, પૈસો નિરભેદ, અબ ભેદકો ન ગહેગો, દીસે કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજ થાન અબ બાહિર ન બહેગો, કબહું કદાપિ અપનો સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકે ન પ૨ વસ્તુ ગઢેગો, જ્ઞાન અમલાન વિદ્યમાન પરગટ ભર્યો, યાહિ ભાંતિ આગામી અનંત કાલ રહેગો. શ્રી સમયસાર નાટક, સર્વવિશુદ્ધિદ્વાર, ૧૦૮. 399 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy