SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વ સ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંત૨રહિત તેના અનુભવમાં આવે છે. સેવવાથી કર્મબંધ અટકે છે અને મોક્ષપદ ક્રમે કરીને પ્રગટે છે. કહ્યું છે, (દોહા) કલ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ?૧ રત્નત્રય ગહ ભવિક જન, જિનઆજ્ઞા સમ ચાલિયે, નિશ્ચય કર આરાધના કરમ બંધકો જાલિયે. આ પ્રમાણે ‘મોક્ષનો ઉપાય છે’ એવા છઠ્ઠા પદનું વ્યાખ્યાન પૂરું થયું. જેમણે શુદ્ધ આત્માનો અનુભવ કર્યો છે તેવા જ્ઞાની મહાત્માઓએ એમ કહ્યું છે કે, જે સાધકજીવ આ છ પદને સેવે છે તે સમ્યક્ત્વને સેવે છે કારણ કે સમ્યક્ત્વ (યથાર્થ દૃષ્ટિ)ની પ્રાપ્તિમાં આ છ પદનું પરિક્ષાન મૂળભૂત છે. જે કોઈ સાચો-ભવ્ય-જિજ્ઞાસુ-સાધક, મધ્યસ્થ થઈને આ છ ૧. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૯૯, ૧૦૩, ૧૦૪. ૨. શ્રી ક્ષમાવાણી-પૂજા (શ્રીમલ્લકૃત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy