SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. (ગીત) જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનીંદ્ર સર્વજો; તેવી અંતર આસ્થા, પ્રગત્યે દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞ. સમ્યક પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગુજ્ઞાન કહ્યું તે, સંશય વિભ્રમ મોહ ત્યાં નાશ્ય. વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય.' ચોથો ઉપાય વૈરાગ્ય કહ્યો. દેહ, સંસાર અને ભોગના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિનું ઉપજવું તે વૈરાગ્ય છે. જેનો રાગ ઓછો થઈ ગયો છે તેવા વિરાગી પુરુષનો ભાવ તે વૈરાગ્ય છે. પાંચમાં ઉપાય તરીકે ભક્તિ આદિ સાધન કહ્યાં. પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે, તેમના ગુણોની સાચી ઓળખાણપૂર્વક નિઃસ્વાર્થ અનુરાગ કરવો તે ભક્તિ. “જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. ભક્તિના નવ પ્રકાર બનાવ્યા છે : શ્રવણ કીર્તન ચિંતવન, વન્દન સેવન ધ્યાન; લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ આ પ્રકારે સંક્ષેપમાં બંધના કારણોથી વિપરીત સ્વભાવવાળા મુખ્ય પાંચ ભાવો મોક્ષપદની પ્રાપ્તિના ઉપાયરૂપે બતાવ્યા, જે કારણો શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૨૪. શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-પ૭૨. સમયસારનાટક, મોક્ષદ્વાર, ૮. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy